ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.
વિવેક મનહર ટેલર

દે ખબર ! – જિતેન્દ્ર પ્રજાપતિ

ઝાડ પરથી પાંદ જો લીલું ખરે તો દે ખબર,
પાનખર સમ કોઈ આવી છેતરે તો દે ખબર.

શ્વાસની છે આવ-જા? તો વાત આખી છે અલગ;
સાવ અમથું જો હવા કૈં ખોતરે તો દે ખબર.

આજ પણ એ ઉંબરે આવી અને પાછાં ફર્યાં;
જો ફરી વેળા સ્મરણ પાછાં ફરે તો દે ખબર.

એ પછી જળની હકીકત આવશે સામે તરત;
ક્યાંક પણ જો આંખથી છાંટો ખરે તો દે ખબર.

આમ તો એ વાતને માની જશે; છે ખાતરી,
તે છતાં પણ જો ચરણ રકઝક કરે તો દે ખબર.

– જિતેન્દ્ર પ્રજાપતિ

સરળ. સહજ. સંતર્પક.

2 Comments »

  1. Prahladbhai Prajapati said,

    August 8, 2019 @ 6:53 AM

    SARAS

  2. vimala Gohil said,

    August 8, 2019 @ 2:24 PM

    “એ પછી જળની હકીકત આવશે સામે તરત;
    ક્યાંક પણ જો આંખથી છાંટો ખરે તો દે ખબર.”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment