ઈશ્વર એ પછી સહેજમાં સમજાઈ જશે
એકવાર અમો પોતાને સમજી લઈએ
ઓજસ પાલનપુરી

ૠણી છું – સંદીપ પુજારા

ખમે છે ભાર જે મારો હું એ કણ-કણનો ૠણી છું,
છતાં માતા-પિતા, શિક્ષક- વિશેષ એ ત્રણનો ૠણી છું.

મળ્યું વર્ષો પછી તો જળ મને અમૃત લાગ્યું છે,
તરસ મારી વધારી છે સતત એ રણનો ૠણી છું.

ભલે છૂટાછવાયાં છે છતાં રેખાને જોડે જે
સીધી લીટીમાં રહેનારા એ બિંદુગણનો ૠણી છું.

કહ્યું’તું જેમણે કે એ મને કંઈ પણ નહીં આપે,
રહી છે આબરૂ તો એમના ‘કંઈ પણ’નો ૠણી છું.

મે ચાહી જિંદગીને, મોતનોયે દબદબો રાખીશ,
મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ૠણી છું.

– સંદીપ પુજારા

બહુ સરળ ભાષામાં અલગ અલગ આયામ દર્શાવીને કવિ પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરે છે જે હૃદયને તરત જ સ્પર્શી જાય છે.

6 Comments »

  1. PRAVIN SHAH said,

    July 12, 2018 @ 3:54 AM

    સરળ, સીધી, સાદી અને સુન્દર !

    ખૂબ ગમી.

  2. Mohamedjaffer Kassam said,

    July 12, 2018 @ 7:37 AM

    I LIKED IT TOO. BUT I AM UNABLE TO USE
    GUJRATI KEYBOARD – CAN SOMEBODY HELP?

  3. ketan yajnik said,

    July 12, 2018 @ 8:41 AM

    ક્બુલ

  4. jay said,

    July 12, 2018 @ 9:01 AM

    વાહ સરસ રચના

  5. મયુર કોલડિયા said,

    July 13, 2018 @ 2:46 AM

    વાહ બહુ સરસ ગઝલ…

  6. Dr Sejal said,

    January 6, 2020 @ 5:55 AM

    ખૂબ જ સુંદર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment