હું સમજદારીની ગોળી લઈ લઉં,
સત્યનો ક્યારેક તાવ આવે મને.
હરીશ ઠક્કર

(સૂરજને છળે છે) – કિરણ જોગીદાસ ‘રોશન’

ભરબપોરે કોણ સૂરજને છળે છે?
કાળ થઈ આ વાદળાં તડકો ગળે છે.

ઝાડ પર આવી અગર એકાદ ચકલી
ડાળખીનું જાણે કોઈ વ્રત ફળે છે.

આગ રાખીને હૃદયમા કોઈ જીવે,
તો વળી કોઈ બરફમાં પણ બળે છે.

હોય સુખ કે દુઃખ સદા હાજર હશે એ,
અશ્રુ થઈ અવસર બધે કેવાં ભળે છે!

જોઈને બિન્દાસ ‘રોશન’ને અહીંયા
દર્દ નાકેથી તરત પાછુ વળે છે

– કિરણ જોગીદાસ ‘રોશન’

સાવ સામાન્ય લાગતા દૃશ્ય પર પણ કવિની કલમ ફરે તો એ અભૂતપૂર્વ બની રહે છે. કવિતાની ખરી કમાલ જ એ છે કે એ રોજબરોજની વાતને, હજારો વાર કહેવાઈ ગયેલી વાતોને પણ સાવ નવા જ અંદાજમાં રજૂ કરી શકે છે. આ ગઝલ જુઓ… છે એવી કોઈ વાત જે આપણા માટે નવી હોય? પણ ખરી મજા જ અભિવ્યક્તિની છે. કવિ કઈ રીતે રુઢને અરુઢ બનાવી રજૂ કરે છે એની જ મજા છે. ભરબપોરે સૂરજ વાદળાંમાં ઢંકાઈ જાય અને તડકો ગાયબ થઈ જાય એ કેવી સામાન્ય બીના! પણ કવયિત્રીએ એને અહીં કેવી નવી જ રીતે પેશ કરી છે એ જુઓ…

3 Comments »

  1. Bharati gada said,

    April 13, 2018 @ 2:36 AM

    આગ રાખીને હૃદયમા કોઈ જીવે,
    તો વળી કોઈ બરફમાં પણ બળે છે.
    Waah kiran khub aakhi sundar rachana 👌👌

  2. uma parmar said,

    April 13, 2018 @ 10:24 AM

    ખરેખર અદ્ભુત રચના… સુખ અને દુઃખ બંનેમાં આંસુ ભળે પણ એ અવસર બનીને ..સુંદર

  3. Neekita said,

    April 19, 2018 @ 3:44 AM

    હર્ષવી પટેલ ની હરોળ માં બેસે એવી હથોટી ….વાહ્!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment