પાણી પાણી જ હોય છે એ છતાં, પાણી પાણીમાં છે ફરક કેવો ?
માપસરનું મળત તો વૃક્ષ બનત, કાષ્ઠ કોહી ઊઠ્યાં જળાશયમાં.
વિવેક ટેલર

મૌનનો પડઘો : ૧૨ : યુઆન વુ

The golden duck no more issues odorous smoke behind the brocade screens,
Amidst flute-playing and singing,
He retreats, thoroughly in liquor and supported by others :
A happy event in the life of a romantic youth,
It is his sweetheart alone that is allowed to know.

– Yuan-wu [ 1063-1135 ]

હવે સોનેરી બતક જરીભરેલાં પરદાઓ પછિતે સુગંધિત ધુમ્રસેરો છોડતું નથી,
પાવાના નાદ અને ગાન વચ્ચે,
તે પ્રત્યાગમન કરે છે, સંપૂર્ણ મદમસ્ત…અન્યોના સહારે:
રસિક યુવાના જીવનની એક આનંદમય ઘટના,
માત્ર તેની હૃદયેશ્વરી જ આ ભેદ જાણવાની અધિકારિણી છે .

-યુઆન વુ

એક જુદા જ અંદાઝની ઝેન કવિતા . romanticism થી છલકતી આ ઝેન-કવિતામાં ઝેન તત્વ શોધ્યું જડે તેમ નથી ! એ જ આ કાવ્યનો સંદેશ છે . ઝેન કોઈ જ રૂઢિઓ નો ગુલામ નથી ….કોઈ જ ઘરેડ ઝેનને બાંધી શકતી નથી . Yuan-wu એક મહાન ઝેન સંત હતા અને તેઓએ Sung Dynasty માં આધારભૂત ગણાતો Hekiganshu નામનો ગ્રંથ રચ્યો હતો .

Western World માં પણ અમુક તીવ્ર સંવેદનશીલતા ધરાવતા સર્જકો એ જે રચના કરી છે તે પણ Dr Suzuki ના મતાનુસાર ઝેન રચનાઓ જ છે . એક ઉદાહરણ –

To see a world in a grain of sand,
And a heaven in a wild flower,
Hold infinity in the palm of your hand
And eternity in an hour.
-Blake

ઝેન અને અન્ય પંથ વચ્ચેની સામ્યતા :-

બૌદ્ધધર્મ ઉપરાંત સુફીમત અને હિંદુ ઉપનિષદ – આ બે સાહિત્યને વાંચતા આપણને ઝેનના ઘણા અંશો દેખાય . ઝેનનું મૂળ હિન્દુધર્મમાં જ રહેલું મનાય છે . અમુક હિંદુ તત્વચિંતકો કે જેઓ કર્મ-કાંડથી ત્રાસી ગયા હતા તેઓ ઉપનિષદના અર્ક સમાન તત્વોને આત્મસાત કરીને એક ક્રાંતિકારી પથ ઉપર ચાલી નીકળ્યા અને આમ ઝેન અસ્તિત્વમાં આવ્યો એવી એક આધારભૂત માન્યતા છે . આ ઉપરાંત mysticism માં ઝેનના અનેક અંશો દેખાય છે . ભારતમાં અત્યારે ઝેન વિચારધારા એટલી પ્રચલિત નથી,પરંતુ પુરાતનકાળમાં હિમાલય ઘણા ઝેન યોગીઓનું નિવાસસ્થાન હતો . એક પ્રસંગ – કે જે સાચો મનાય છે – તે આ પ્રમાણે છે :-

એકવાર બોધિધર્મ [ ઝેનના પ્રણેતા સમાન ગુરુ ] ભારતથી પ્રવાસ ખેડીને ચીન આવી રહ્યા છે એવા સમાચાર ચીનના શહેનશાહને મળ્યા . શહેનશાહ પોતાના દરબારીઓ સાથે ઠેઠ સરહદ પર સામે લેવા ગયા . સામેથી એક મેલો-ઘેલો ખાસ્સો જાડો બટકો માણસ એકલો ડોલતો ડોલતો પોતાની મસ્તીમાં આવી રહ્યો હતો . એક જાણકારે તેને ઓળખી કાઢ્યો અને શહેનશાહને કહ્યું- આ જ બોધિધર્મ છે . શહેનશાહના આશ્ચર્યનો પર ન રહ્યો . તેણે વિનયપૂર્વક સત્કાર કરીને તેઓને આવકાર્યા અને પોતે પોતાના સામ્રાજ્યમાં ઝેન સંપ્રદાય માટે કેટલી બધી સગવડો ઉભી કરી છે તેનું વર્ણન પોતાના ચમચાઓ પાસે કરાવ્યું . સાંભળી બોધિધર્મએ અટ્ટહાસ્ય કર્યું….. શહેનશાહ આભો જ બની ગયો ! થોડાક ક્રોધ સાથે તેણે આ અવિનાયનું કારણ પૂછ્યું . બોધિધર્મએ ઉત્તરમાં પોતાના જૂતા ઉતારીને તે જૂતા માથે મૂકીને ચાલવા માંડ્યું . સૌ કોઈ સડક થઇ ગયા ! ફરીથી અટ્ટહાસ્ય કરીને બોધિધર્મ બોલ્યા – ‘ રાજા, જૂતાનું કામ છે પગનું રક્ષણ કરવાનું . તેને માથે ન મૂકાય,બરાબર? તે જ રીતે સંપત્તિનું કામ છે માનવતાની સેવા કરવાનું . તું એને તારા માથે મૂકીને ચાલે છે . સંપત્તિ અને જૂતામાં જયારે તું કોઈ જ ફરક નહિ ભાળે ત્યારે હું તારા રાજ્યમાં આવીશ .’

1 Comment »

  1. deepak said,

    December 11, 2012 @ 12:21 AM

    બોધિધર્મનો પ્રસંગ ખુબ ગમ્યો…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment