કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
શેખાદમ આબુવાલા

મૌનનો પડઘો : ૧૨ : યુઆન વુ

The golden duck no more issues odorous smoke behind the brocade screens,
Amidst flute-playing and singing,
He retreats, thoroughly in liquor and supported by others :
A happy event in the life of a romantic youth,
It is his sweetheart alone that is allowed to know.

– Yuan-wu [ 1063-1135 ]

હવે સોનેરી બતક જરીભરેલાં પરદાઓ પછિતે સુગંધિત ધુમ્રસેરો છોડતું નથી,
પાવાના નાદ અને ગાન વચ્ચે,
તે પ્રત્યાગમન કરે છે, સંપૂર્ણ મદમસ્ત…અન્યોના સહારે:
રસિક યુવાના જીવનની એક આનંદમય ઘટના,
માત્ર તેની હૃદયેશ્વરી જ આ ભેદ જાણવાની અધિકારિણી છે .

-યુઆન વુ

એક જુદા જ અંદાઝની ઝેન કવિતા . romanticism થી છલકતી આ ઝેન-કવિતામાં ઝેન તત્વ શોધ્યું જડે તેમ નથી ! એ જ આ કાવ્યનો સંદેશ છે . ઝેન કોઈ જ રૂઢિઓ નો ગુલામ નથી ….કોઈ જ ઘરેડ ઝેનને બાંધી શકતી નથી . Yuan-wu એક મહાન ઝેન સંત હતા અને તેઓએ Sung Dynasty માં આધારભૂત ગણાતો Hekiganshu નામનો ગ્રંથ રચ્યો હતો .

Western World માં પણ અમુક તીવ્ર સંવેદનશીલતા ધરાવતા સર્જકો એ જે રચના કરી છે તે પણ Dr Suzuki ના મતાનુસાર ઝેન રચનાઓ જ છે . એક ઉદાહરણ –

To see a world in a grain of sand,
And a heaven in a wild flower,
Hold infinity in the palm of your hand
And eternity in an hour.
-Blake

ઝેન અને અન્ય પંથ વચ્ચેની સામ્યતા :-

બૌદ્ધધર્મ ઉપરાંત સુફીમત અને હિંદુ ઉપનિષદ – આ બે સાહિત્યને વાંચતા આપણને ઝેનના ઘણા અંશો દેખાય . ઝેનનું મૂળ હિન્દુધર્મમાં જ રહેલું મનાય છે . અમુક હિંદુ તત્વચિંતકો કે જેઓ કર્મ-કાંડથી ત્રાસી ગયા હતા તેઓ ઉપનિષદના અર્ક સમાન તત્વોને આત્મસાત કરીને એક ક્રાંતિકારી પથ ઉપર ચાલી નીકળ્યા અને આમ ઝેન અસ્તિત્વમાં આવ્યો એવી એક આધારભૂત માન્યતા છે . આ ઉપરાંત mysticism માં ઝેનના અનેક અંશો દેખાય છે . ભારતમાં અત્યારે ઝેન વિચારધારા એટલી પ્રચલિત નથી,પરંતુ પુરાતનકાળમાં હિમાલય ઘણા ઝેન યોગીઓનું નિવાસસ્થાન હતો . એક પ્રસંગ – કે જે સાચો મનાય છે – તે આ પ્રમાણે છે :-

એકવાર બોધિધર્મ [ ઝેનના પ્રણેતા સમાન ગુરુ ] ભારતથી પ્રવાસ ખેડીને ચીન આવી રહ્યા છે એવા સમાચાર ચીનના શહેનશાહને મળ્યા . શહેનશાહ પોતાના દરબારીઓ સાથે ઠેઠ સરહદ પર સામે લેવા ગયા . સામેથી એક મેલો-ઘેલો ખાસ્સો જાડો બટકો માણસ એકલો ડોલતો ડોલતો પોતાની મસ્તીમાં આવી રહ્યો હતો . એક જાણકારે તેને ઓળખી કાઢ્યો અને શહેનશાહને કહ્યું- આ જ બોધિધર્મ છે . શહેનશાહના આશ્ચર્યનો પર ન રહ્યો . તેણે વિનયપૂર્વક સત્કાર કરીને તેઓને આવકાર્યા અને પોતે પોતાના સામ્રાજ્યમાં ઝેન સંપ્રદાય માટે કેટલી બધી સગવડો ઉભી કરી છે તેનું વર્ણન પોતાના ચમચાઓ પાસે કરાવ્યું . સાંભળી બોધિધર્મએ અટ્ટહાસ્ય કર્યું….. શહેનશાહ આભો જ બની ગયો ! થોડાક ક્રોધ સાથે તેણે આ અવિનાયનું કારણ પૂછ્યું . બોધિધર્મએ ઉત્તરમાં પોતાના જૂતા ઉતારીને તે જૂતા માથે મૂકીને ચાલવા માંડ્યું . સૌ કોઈ સડક થઇ ગયા ! ફરીથી અટ્ટહાસ્ય કરીને બોધિધર્મ બોલ્યા – ‘ રાજા, જૂતાનું કામ છે પગનું રક્ષણ કરવાનું . તેને માથે ન મૂકાય,બરાબર? તે જ રીતે સંપત્તિનું કામ છે માનવતાની સેવા કરવાનું . તું એને તારા માથે મૂકીને ચાલે છે . સંપત્તિ અને જૂતામાં જયારે તું કોઈ જ ફરક નહિ ભાળે ત્યારે હું તારા રાજ્યમાં આવીશ .’

1 Comment »

  1. deepak said,

    December 11, 2012 @ 12:21 AM

    બોધિધર્મનો પ્રસંગ ખુબ ગમ્યો…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment