આજ ભલેને તારી હોડી
મજલ કાપતી થોડી થોડી,
યત્ન હશે તો વહેલી મોડી,
એ જ ઊતરશે પાર,
ખલાસી! માર હલેસાં માર.
ગની દહીંવાલા

એની તરસ-ચિનુ મોદી

એની તરસનો ક્યાં તને અંદાજ છે ?
એ ઝાંઝવા પાણી ગણી પી જાય છે !

મારો નથી એ એકલાનો એટલે,
મારા હૃદયમાં ક્યાં ખુદાનું સ્થાન છે ?

જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં ઉદાસી હોય છે;
લો, આપણા ઘરનો ઘણો વિસ્તાર છે.

તારા નગરમાં ચાર પગલાં પાડતાં
આ શ્વાસમાં તો પીળો પીળો થાક છે !

ઇર્શાદ, તારી નાવને હંકાર ના,
ચોથી દિશાનું ક્યાં તને કૈં ભાન છે ?

-ચિનુ મોદી

ત્રીજો અને ચોથો શેર બહુ ન ગમ્યા. બાકીના શેર અર્થગંભીર છે.

8 Comments »

  1. Mukesh Kishnani said,

    September 3, 2012 @ 6:32 AM

    મેં તો ડુંગર પર દીવડો મેલ્યો
    કે ગગન મારું ઝળહળતું
    પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો
    કે ભવન મારું ઝળહળતું …..મેં તો
    -દલપત પઢીયાર

  2. pragnaju said,

    September 3, 2012 @ 8:03 AM

    મારો નથી એ એકલાનો એટલે,
    મારા હૃદયમાં ક્યાં ખુદાનું સ્થાન છે ?
    ઇર્શાદ, તારી નાવને હંકાર ના,
    ચોથી દિશાનું ક્યાં તને કૈં ભાન છે ?
    બહુ ગમ્યા

  3. La'Kant said,

    September 3, 2012 @ 8:18 AM

    ” મારો નથી એ એકલાનો એટલે,
    મારા હૃદયમાં ક્યાં ખુદાનું સ્થાન છે ?”- { બીજો શેર }
    સામાન્ય માન્યતા પ્રમાણે ખુદા /ભગવાન/ગોડ ,આત્મા-પ્રાણ-જ્યોતિ સ્વરૂપે હૃદય-કેન્દ્રમાં સ્થિત મનાય છે ,પણ તે સર્વત્ર તેના આભામંડળરૂપે સમગ્ર અસ્તિત્વ પર છવાયેલો છેજ…લગભગ એક પારદર્શક
    આવરણ બનીને .ખુદાના પ્રાણ-પ્રતિક તરીકે… સચરા ચારમાં વ્યાપ્ત તો છેજ ને?
    કાવ્ય નાયક.યા કવિ સદા પ્યાસો,ઉદાસ અને થાકેલો છે હવે…આ આટલી સફર-યાત્રા પછી!!!

    ..ચોથી દિશા એટલે? ક્યાંથી આવ્યો? તે કે ક્યાં જવાનો તે? કે વળી બીજું કંઈક ઇંગિત છે? ખુલાસો માગી લે છે ….-લા’કાન્ત…./ ૩-૯-૧૨

  4. perpoto said,

    September 3, 2012 @ 9:19 AM

    જ્યા જ્યા ગયો ત્યા….સચોટ છે.
    બાકી તો મનની ભ્રમણા છે..ક્યાય હકારવાનુ નથી …

  5. perpoto said,

    September 3, 2012 @ 9:26 AM

    જ્યાં જ્યાં ગયો ત્યાં …સચોટ છે.
    બાકી તો મનની ભ્રમણા છે…ક્યાંય હંકારવાનું નથી..

  6. Maheshchandra Naik said,

    September 3, 2012 @ 2:10 PM

    સરસ ગઝલ, કેટલાક શેર મનભાવન રહ્યા , આભાર

  7. Dhruti Modi said,

    September 3, 2012 @ 3:17 PM

    સરસ ગઝલ.

  8. beena kanani said,

    September 7, 2012 @ 8:11 AM

    ક્યારેક લાગે કે ક્યાઁ સુધેી કવિઓ ઉદાસેીનેી જ વાત કર્યા કરશે
    અહેીઁ પેીડ પરાઈ જાણતલ નથેી

    પોતાનેી જ કોઈ પેીડા
    બસ ઉદાસેી.રૃગ્ણ ચેીસો
    ચાર સારા શબ્દો/ચાર સારા લહેકા એટલે જ કાવ્ય્

    કેમ કોઈનાઁ મિલન થકેી મળતો ઉલ્લાસ દેખાતો નથેી

    કોઈને દિલ ભરેીને ચાહતા હોઈ એ તો મન ટહુક્યા કરે

    પ્રિય વ્યક્તિ થકેી થએલેી અવગણના કે બેવફાઈ નાનેી લાગે એટલુઁ અઢળક અઢળક વરસતા મેઘ ક્યાઁ
    ઉદાસેીનાઁ ભષણો ને કવિતા કહેી વાહ વાહ કરવાનો હવે કઁટાળૉ આવે

    અપરાજિતા

    અપરાજિતા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment