તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?
અંકિત ત્રિવેદી

મારો જીવનપંથ ઉજાળ – નરસિંહરાવ દિવેટીયા

પ્રેમલ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ !… પ્રેમલo

દૂર પડ્યો નિજ ધામથી હું, ને
ઘેરે ઘન અંધાર;
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,
નિજ શિશુને સંભાળ…પ્રેમલo

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ, થાય,
મારે એક ડગલું બસ, થાય … પ્રેમલo

આજ લગી રહ્યો ગર્વમાં હું, ને
માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા
હામ ભીડી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર … પ્રેમલo

ભભકભર્યા તેજથી હું લોભાયો ને
ભય છતાં ધર્યો ગર્વ;
વીત્યાં વર્ષને લોપ સ્મરણથી
સ્ખલન થયાં જે સર્વ;
મારે આજ થકી નવું પર્વ … પ્રેમલo

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ,
આજ લગી પ્રેમભેર;
નિશ્ચે મને તે સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર … પ્રેમલo

કર્દમભૂમિ કળણ ભરેલી ને
ગિરિવર કેરી કરાડ;
ધસમસતાં જળ કેરા પ્રવાહો,
સર્વ વટાવી કૃપાળ
મુને પહોંચાડશે નિજ દ્વાર … પ્રેમલo

રજની જશે ને પ્રભાત ઊજળશે
ને સ્મિત કરશે પ્રેમાળ;
દિવ્યગણોનાં વદન મનોહર
મારે હૃદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયા હતાં ક્ષણવાર … પ્રેમલo

– નરસિંહરાવ દિવેટિયા

16 જુન, 1833ના રોજ જ્હોન હેનરી ન્યુમેને દરિયાઈ સફર દરમિયાન લખેલ  ‘Lead kindly light‘ કવિતાનો ગાંધીજીના અનુગ્રહના કારણે નરસિંહરાવે આ અનુવાદ કર્યો હતો જે એમણે એમના કાવ્યસંગ્રહોમાં સમાવ્યો નહોતો પણ આશ્રમ ભજનાવલિમાં એ સચવાઈ રહ્યું !

9 Comments »

  1. dr.bharat said,

    November 6, 2010 @ 1:17 AM

    આ અનુવાદ શ્રી નરસિંહરાવે કર્યો હતો તે બિલકુલ નવીન વાત જાણી, અભાર. મૂળ અંગ્રેજી કૃતિ સંભાળવા ન મળ્યા નો અફસોસ રહ્યો!
    ‘This video is no longer available because the YouTube account associated with this video has been terminated. ‘

  2. pragnaju said,

    November 6, 2010 @ 6:32 AM

    કોઈ પણ સંપ્રદાય કે ધર્મના વિરોધ વગરનું નાનપણથી પ્રાર્થનામા ગાતા આ અમર ભજન
    નૂતનવર્ષાભિનંદન

  3. rekha sindhal said,

    November 6, 2010 @ 9:52 AM

    હ્રદયમાઁ આપોઆપ જ શુધ્ધભાવો ઉઠે એવેી પ્રાર્થના અહેીઁ વાઁચતા જ હરવખતનેી જેમ હળવાશ અનુભવેી. ફરેી ફરેીને સાઁભળીએ તો ય હરપળ નાવીન્ય અનુભવાય. આભાર અને સાલમુબારક સહ શુભેછાઓ !

  4. sudhir patel said,

    November 6, 2010 @ 10:36 AM

    સુંદર ભાવાનુવાદ!

    સૌને નૂતન વર્ષના અભિનંદન!!

    સુધીર પટેલ.

  5. Bharat Trivedi said,

    November 7, 2010 @ 11:12 AM

    કેટલીક રચનાઓ અમરત્વનું વરદાન લઈને આવતી હોય છે! આ રચના વિષે પણ એવું જ કહી શકાય. અમારી સ્કૂલમાં આ ગીત પ્રાર્થનામાં વેળા ગવા’તું. આજેય આ ગીત વાંચતાં હ્રુદય ભરાઈ આવે છે.

    -ભરત ત્રિવેદી

  6. devika dhruva said,

    November 7, 2010 @ 2:51 PM

    અમર પ્રાર્થના..

  7. Girish Parikh said,

    November 8, 2010 @ 2:57 PM

    http://www.girishparikh.wordpress.com વેબ સાઈટ પર ‘આપણું અમર પ્રાર્થનાગીતઃ ‘મુજ જીવનપંથ ઉજાળ’ લેખ પોસ્ટ કર્યો છે. મૂળ અંગ્રેજી ગીત પણ આપ્યું છે. વાંચવા અને પ્રતિભાવ આપવા વિનંતી.
    – – ગિરીશ પરીખ

  8. Girish Parikh said,

    November 8, 2010 @ 3:02 PM

    આંખો ભીની થઈ આ અમર પ્રાર્થનાગીત વાંચતાં.
    – – ગિરીશ

  9. chhaya said,

    November 9, 2010 @ 9:35 AM

    દરરોજ કરવાનિ પ્રાર્થના ભાવ વિભોર કરિ દેનારિ સુન્દર સ્તુતિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment