'તું’પણાનાં ખેતરોમાં એ જ લહલહનાર છે,
જે સમયસર ‘હું’પણાની વાડ ઓળંગી ગયો.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બાશો

બાશો શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મૌનનો પડઘો : ૧૧ : બાશો

‘Tis an ancient pond,
a frog leaps in-
Oh,the sound of water !

Basho

આ એક જૂનું તળાવ
દેડકો અંદર કૂદે છે –
ઓહ, જળઘોષ !
– બાશો

આ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું હાઇકુ છે . જયારે બાશો ને સટોરીનો અનુભવ થયો હતો ત્યારે તેઓ એક તળાવના કિનારે બેઠા હતા અને એક દેડકો પાણીમાં અચાનક કૂદે છે, અને તે જ ક્ષણે તેઓના આંતરચક્ષુ સંપૂર્ણપણે ખુલી જાય છે . બસ,તે ક્ષણને તેઓ એ આ હાઇકુમાં રજૂ કરી છે .

દેડકો જાપાનના સાહિત્યમાં વારંવાર એક રૂપક તરીકે પ્રયોજાય છે . તેને શાંતિ અને એકલવાયાપણાનું પ્રતિક માનવામાં આવે છે . એક બીજું ઉદાહરણ જોઈએ –

A sudden thundering up in the sky
And the whole world is taken aback,
But,
A frog ‘way down in the well
Has not raised even its head.

બાશો ના હાઇકુને જુદી જુદી રીતે સમજી શકાય એમ છે,પરંતુ આ હાઇકુ વાંચતા જે અર્થ ભાવકને સૌથી પ્રથમ સ્પષ્ટ થાય તે જ અર્થ તે ભાવક માટે સાચો ગણાય….

Comments (4)

મૌનનો પડઘો : ૧૦ : બાશો

Like the little stream
Making its way
Through the mossy crevices
I, too, quietly
Turn clear and transparent.

-Basho

જેમ એક નાનકડું ઝરણું
પોતાનો માર્ગ કરે છે
કાદવ-કીચડ-લીલવાળી તિરાડોમાંથી
હું, પણ, નિર્ઘોષ
બનું છું નિરભ્ર અને પારદર્શક .

-બાશો

કાવ્ય પ્રમાણમાં સરળ અને સ્પષ્ટ છે . બાશો ઝેનના એક પ્રમુખ ગુરુ હતા . તેઓ પાસે ઘણા તેજસ્વી શિષ્યોનો મેળો જામેલો રહેતો .

ઝેન અને વ્યવહાર –
સ્વાભાવિક છે કે આ વિચારધારા વ્યવહારમાં અમલમાં મૂકવી અઘરી જ હોય . Vietnam ના બૌદ્ધ સાધુ Thich Nhat Hanh ના મત અનુસાર એવું નથી . ઝેન કોઈપણ વસ્તુ ત્યાગવાનો સંદેશ નથી આપતો . ઝેનનો વ્યવહારુ સંદેશ છે પરિસ્થિતિનો સંપૂર્ણ અને સાહજીકતાથી સ્વીકાર કરવાનો છે . તો પછી શું પ્રતિકૂળ સ્થિતિ અથવા તો અન્યાયનો પણ એ રીતે સ્વીકાર કરવો ? – ના . હરગીઝ નહીં . Thich Nhat Hanh સ્પષ્ટરૂપે કહે છે કે ઝેનસાધક ક્યાં તો એ પરિસ્થિતિથી જોજનો દૂર ચાલ્યો જશે અથવા તો પોતાની પૂર્ણ તાકાતથી એનો મુકાબલો કરશે પરંતુ એના મનમાં વેર-વૈમનસ્ય નહિ હોય . ઝેનમાં પ્રચલિત સામાજિક જીવનનો વિરોધ નથી,પરંતુ તે સાધકના પગની બેડી ન બની જાય તે સભાનતા પ્રતિક્ષણ આવશ્યક છે . પરંપરાગત રીતે ઝેન-સાધના monastry માં એકાંતમાં કરવામાં આવતી હોય છે,પણ એવો કોઈ અફર નિયમ નથી . Japan , China , Vietnam વગેરે દેશોમાં અનેક કેન્દ્રો આ વિચારધારાને લોકો સુધી પહોંચાડે છે .

Comments (6)