બારણું નહીં ખોલું તો કોઈ હશે
બારણું ખોલીશ તો ભણકારા હશે
-જવાહર બક્ષી

ઝાંઝવાઓની યુક્તિ -‘સાબિર’ વટવા

પ્રાણતરસ્યા રણની ચીસો સાંભળી,
ઝાંઝવાઓએ એ અજબ યુક્તિ કરી:
એક તરફ છિપાઈ ગઈ રણની તૃષા
જળ-વલખતા મૃગને પણ મુક્તિ મળી.

-‘સાબિર’ વટવા
(“ધ્રૂજતી પ્યાલી”)

Leave a Comment