કાળને – : મહેન્દ્ર અમીન
કાળને
બાઝી ગયેલાં
વિરતિનાં જાળાં
હવે તો
સાફ કરવાં પડશે
નહિ તો,
મારા અસ્તિત્વની
ધાર
કાટ ખાઈ જશે :
લાવ,
કેટલાંક જૂના થઈ ગયેલાં
કાર્યો –
ભલે એનાં એ જ –
જરીક નોખી રીતે કરું :
ઈશુને ગોળીએ વીંધુ
અને
ગાંધીને ખીલે ઠોકું.
– મહેન્દ્ર અમીન
[ વિરતિ = વિશ્રામ, અટકવું તે ]
એક સરળ પરંતુ ધારદાર વ્યંગ કાવ્ય……પેલું વાક્ય યાદ આવે છે-‘ માનવી ઈતિહાસમાંથી એટલું જ શીખ્યો છે કે માનવી ઈતિહાસમાંથી કંઈ જ શીખતો નથી.’
pragnaju said,
April 22, 2012 @ 5:39 AM
વ્યંગ રસ ભીનું સુંદર અછાંદસ
કાળને
બાઝી ગયેલાં
વિરતિનાં જાળાં
હવે તો
સાફ કરવાં પડશે
નહિ તો,
મારા અસ્તિત્વની
ધાર
કાટ ખાઈ જશે :
વાહ્
વિવેક said,
April 22, 2012 @ 5:44 AM
સુંદર !
ઇતિ-હાસ !
મદહોશ said,
April 23, 2012 @ 10:43 AM
શરુયાત મા જે દર્દની ભાવના ઉઠી, એ અંતે ‘ગાન્ધી ને ઇશુ’ થી એક સ્તબ્ધતા છવાઇ ગઇ…
વેધક રચના…
sweety said,
April 25, 2012 @ 6:44 AM
કેટલાંક જૂના થઈ ગયેલાં
કાર્યો –
ભલે એનાં એ જ –
જરીક નોખી રીતે કરું :
ખરે ખર જુના કામ ફરેી કરવા જોઇયે