એક વાદળ એમ ચાલ્યું જાય છે
આભમાં, જાણે કે જળની પાલખી !
ભરત વિંઝુડા

પુસ્તક પ્રસારના કસબી

લોકમિલાપનું નામ કોઈ ગુજરાતી માટે અજાણ્યું નથી. ગુજરાતી લોકોને વાંચવાનું વળગણ લગાડવા માટે લોકમિલાપે જેટલું કામ કર્યું છે એટલું કદાચ બીજા કોઈએ કર્યું નથી. સુંદર પુસ્તકો સસ્તી કીંમતમાં વર્ષોથી લોકમિલાપ પ્રગટ કરે છે. સૂરતમાં લોકમિલાપનો પુસ્તકમેળો દર વર્ષે જાન્યુઆરી મહીનામાં એકાદ અઠવાડિયા માટે આવતો. અમે દોસ્તો લગભગ રોજ એની મુલાકાતે જતા. ગુજરાતીના શ્રેષ્ટ પુસ્તકોની આ મેળામાં ઓળખાણ થતી.

લોકમિલાપના સ્થાપક એ શ્રી મહેન્દ્ર મેધાણી. ઝવેરચંદ મેઘાણીના એ દીકરા થાય. એમના વિષે નાનો મઝાનો લેખ આઉટલૂકમાં વાંચવામા આવ્યો. આ લેખ ખાસ વાંચવાલાયક છે. એમના વિષે વધુ માહિતી અહીં પણ ઉપલબ્ધ છે.

ગુજરાતી પુસ્તકોના પ્રસાર માટે આવું પાયાનું કામ કરનાર મહાનુભવને સલામ !

Leave a Comment