જગતના દુઃખથી ત્રાસ્યા હો તો રાખો દુઃખ મહોબ્બતનું,
એ એવું દર્દ છે જે સર્વ દર્દોને મટાડે છે.
બરકત વિરાણી ‘બેફામ’

થઈ ગયો છું હું – ભગવતીકુમાર શર્મા

હતો અટૂલો જે, હવે સમસ્ત થઈ ગયો છું હું;
ડૂબી ડૂબીને પશ્ચિમે અનસ્ત થઈ ગયો છું હું.

લખીને કાગળો ખૂટ્યા, કલમનું મુખ ન શ્યામ છે;
આ તૂટુંતુટું શ્વાસ; અસ્તવ્યસ્ત થઈ ગયો છું હું.

મનુષ્યનો પ્રતિનિધિ, પરંતુ સ્વાર્થ તો જુઓ :
અપેક્ષા પોષવા ખુદાપરસ્ત થઈ ગયો છું હું !

તને ય કોડિયું જલાવવાની તક મળી શકે;
છું સૂર્ય તો ય ભરબપોરે અસ્ત થઈ ગયો છું હું !

પતનનું આવું ભાગ્ય કોને સાંપડી શકે અહીં ?
ગગનથી બારે મેઘરૂપે ધ્વસ્ત થઈ ગયો છું હું !

– ભગવતીકુમાર શર્મા

પ્રત્યેક શેર પાણીદાર મોતી….

3 Comments »

  1. વિવેક said,

    July 5, 2023 @ 11:17 AM

    સરસ રચના

  2. pragnajuvyas said,

    July 5, 2023 @ 7:04 PM

    સુંદર ગઝલે યાદ આવે
    ‘બેઉ બોલે: ‘હા, હું સઘળું સાંભળું છું, માનું છું’ –
    પણ ખરે તો આપણો આ ‘હું’ જ ખરો વિખવાદી છે.’

  3. dhruv kumar said,

    September 6, 2026 @ 7:08 PM

    પ્રાસની મજબૂરી (કાફિયા-રદીફનો બોજ): ‘અનસ્ત’, ‘અસ્તવ્યસ્ત’, ‘ધ્વસ્ત’ જેવા પ્રાસ બેસાડવાના ચક્કરમાં ભાવ અને અર્થ સાથે બાંધછોડ થઈ છે.
    ​કૃત્રિમ વિરોધાભાસ: માત્ર ચમત્કૃતિ ઊભી કરવા માટે સૂર્ય-કોડિયું કે અસ્ત-અનસ્ત જેવા પરસ્પર વિરોધી રૂપકો ગોઠવ્યા છે, જેમાંથી સહજ સંવેદના પ્રગટતી નથી.
    ​વિચારોની અસ્પષ્ટતા: મનુષ્યનો પ્રતિનિધિ કે ખુદાપરસ્ત જેવા વિચારોનો ઉઘાડ અસ્પષ્ટ રહી જાય છે.
    ​બૌદ્ધિક કે લાગણીજન્ય ચોટનો અભાવ: શેરમાં કોઈ આંતરિક લય કે ઊંડો ઉપાડ નથી; વાત માત્ર શબ્દોની રમત (Wordplay) બનીને અટકી જાય

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment