થઈ ગયો છું હું – ભગવતીકુમાર શર્મા
હતો અટૂલો જે, હવે સમસ્ત થઈ ગયો છું હું;
ડૂબી ડૂબીને પશ્ચિમે અનસ્ત થઈ ગયો છું હું.
લખીને કાગળો ખૂટ્યા, કલમનું મુખ ન શ્યામ છે;
આ તૂટુંતુટું શ્વાસ; અસ્તવ્યસ્ત થઈ ગયો છું હું.
મનુષ્યનો પ્રતિનિધિ, પરંતુ સ્વાર્થ તો જુઓ :
અપેક્ષા પોષવા ખુદાપરસ્ત થઈ ગયો છું હું !
તને ય કોડિયું જલાવવાની તક મળી શકે;
છું સૂર્ય તો ય ભરબપોરે અસ્ત થઈ ગયો છું હું !
પતનનું આવું ભાગ્ય કોને સાંપડી શકે અહીં ?
ગગનથી બારે મેઘરૂપે ધ્વસ્ત થઈ ગયો છું હું !
– ભગવતીકુમાર શર્મા
પ્રત્યેક શેર પાણીદાર મોતી….


વિવેક said,
July 5, 2023 @ 11:17 AM
સરસ રચના
pragnajuvyas said,
July 5, 2023 @ 7:04 PM
સુંદર ગઝલે યાદ આવે
‘બેઉ બોલે: ‘હા, હું સઘળું સાંભળું છું, માનું છું’ –
પણ ખરે તો આપણો આ ‘હું’ જ ખરો વિખવાદી છે.’
dhruv kumar said,
September 6, 2026 @ 7:08 PM
પ્રાસની મજબૂરી (કાફિયા-રદીફનો બોજ): ‘અનસ્ત’, ‘અસ્તવ્યસ્ત’, ‘ધ્વસ્ત’ જેવા પ્રાસ બેસાડવાના ચક્કરમાં ભાવ અને અર્થ સાથે બાંધછોડ થઈ છે.
કૃત્રિમ વિરોધાભાસ: માત્ર ચમત્કૃતિ ઊભી કરવા માટે સૂર્ય-કોડિયું કે અસ્ત-અનસ્ત જેવા પરસ્પર વિરોધી રૂપકો ગોઠવ્યા છે, જેમાંથી સહજ સંવેદના પ્રગટતી નથી.
વિચારોની અસ્પષ્ટતા: મનુષ્યનો પ્રતિનિધિ કે ખુદાપરસ્ત જેવા વિચારોનો ઉઘાડ અસ્પષ્ટ રહી જાય છે.
બૌદ્ધિક કે લાગણીજન્ય ચોટનો અભાવ: શેરમાં કોઈ આંતરિક લય કે ઊંડો ઉપાડ નથી; વાત માત્ર શબ્દોની રમત (Wordplay) બનીને અટકી જાય