ભૂંસી ભૂંસીને તું લખીને મોકલાવ નહીં,
ભીતરમાં ભાવ છે જે એને તું છુપાવ નહીં.
વિવેક મનહર ટેલર

મૃગજળની છાલકોથી…- ભગવતીકુમાર શર્મા

પંખી બની ઊડું છું હું રેતીના પટ ઉપર;
કલ્પું છું કે નદી છે : પ્રતિબિમ્બ જોઉં છું.

ઝરણું હો પગ તળે અને કંઠે તરસ ન હો;
એવી પરિસ્થિતિમાંયે ક્યારેક હોઉં છું.

બળબળતી આંખ કેરી જો છલના વધી પડે;
મૃગજળની છાલકોથી હું ચહેરાને ધોઉં છું.

ઝાકળ ને ઝાંઝવાંમાં તફાવત નથી હવે;
કોરી છે આંખો તોય અકારણ હું લ્હોઉં છું.

તારા વિરહમાં ફૂલ જે ખીલ્યાં નથી હજી,
સ્વપ્નામાં એની મ્હેકની માળાઓ પ્રોઉં છું.

ટહુકાની પેલે પાર જે નિઃશ્વાસ ઓગળ્યો,
એમાં થીજી જઈને હું ચૂપચાપ રોઉં છું.

– ભગવતીકુમાર શર્મા

 

પ્રત્યેક શેર બળકટ….

4 Comments »

  1. હરીશ દાસાણી.મુંબઈ said,

    July 5, 2022 @ 9:37 AM

    ભગવતીકુમારની ગઝલોમાં ભાવનાવીન્ય અને ચૂસ્ત બંધારણ તથા શબ્દ પસંદગી ધ્યાનાકર્ષક છે.

  2. pragnajuvyas said,

    July 5, 2022 @ 6:52 PM

    સુંદર, સરળ ને સહજ ગઝલ
    કવિના મુખે એકવાર માણી છે
    એટલે
    વાંચતા વાંચતા આ.ભગવતીકુમાર શર્માનો અવાજ પણ સંભળાઇ રહ્યો છે.
    ધન્યવાદ ડૉ તીર્થેશજી

  3. Dr Heena Mehta said,

    July 7, 2022 @ 2:12 PM

    ખૂબ સશક્ત અને સુંદર પંક્તિઓ!!!

  4. વિવેક said,

    July 8, 2022 @ 10:40 AM

    સરસ મજાની ગઝલ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment