લોહી ન નીકળે, પીડા થાય,
એ જખ્મોની ચિંતા થાય.
– કિરણસિંહ ચૌહાણ

આરામ થઈ જાશે – નાઝિર દેખૈયા

તમે બોલાવશો એને તો મારું કામ થઈ જાશે;
વિના ઉપચાર આ બીમારને આરામ થઈ જાશે.

પછી મંદિર કે મસ્જિદ જે ગણું તે ઘર હશે મારું;
કદમથી આપના મુજ દ્વાર તીરથધામ થઈ જાશે.

નિછાવર થઈ જનારા! આટલો તો ખ્યાલ કરવો’તો;
જગતમાં રૂપવાળાઓ બધે બદનામ થઈ જાશે.

ખબર કરશો નહીં નિજ આગમનની હર્ષઘેલાને;
નકર એ કે’ણ એના મોતનો પયગામ થઈ જાશે.

તૃષાતુર જાઉં છું કિન્તુ તૃષા કેરી અસર જોજો;
છલકતા કંઈક સાકીના નયનના જામ થઈ જાશે.

ચૂક્યા અવસર કૃપાનો તો વગોવાઈ જશો વિશ્વે;
થવું છે એ તો જ્યાંને ત્યાં ઠરીને ઠામ થઈ જાશે.

દયાળુ! દાન જો કરવું ઘટે તો પાત્રને જોજો;
નહીં તો કંઈક આ ‘નાઝિર’ સમા બેફામ થઈ જાશે.

– નાઝિર દેખૈયા

ટાઇમલેસ ક્લાસિક.

3 Comments »

  1. pragnajuvyas said,

    June 18, 2022 @ 3:49 AM

    વારંવાર માણેલ ટાઇમલેસ ક્લાસિક.
    મત્લા માણતા જ
    તમે બોલાવશો એને તો મારું કામ થઈ જાશે;
    વિના ઉપચાર આ બીમારને આરામ થઈ જાશે.
    આરામ જ આરામ થયો.
    નિછાવર થઈ જનારા! આટલો તો ખ્યાલ કરવો’તો;
    જગતમાં રૂપવાળાઓ બધે બદનામ થઈ જાશે.
    વાહ
    વાતે યાદ આવે ખૂબ ગમતો શેર
    નિછાવર થઇ જઇશ એ વાત કરવી સહેલી છે ‘નાઝિર’
    મરણ પહેલાં અમારી જેમ તું જાતે મરી તો જો.

  2. praheladbhai prajapati said,

    June 18, 2022 @ 3:22 PM

    સુન્દર ……….વાહ વાહ્

  3. Vineschandra Chhotai 🕉 said,

    June 18, 2022 @ 9:41 PM

    બહુજ ♥️ સરસ
    લેખન કાર્ય

    અભિનંદન ♥️

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment