એવું કંઈ નથી…. – ભગવતીકુમાર શર્મા
તારા વિના જિવાય નહીં, એવું કંઈ નથી,
જીવ્યા છતાં મરાય નહીં, એવું કંઈ નથી.
ટેકો લઈને બેઠો છું, તૂટેલી ભીંતનો;
પડછાયો પણ દટાય નહીં, એવું કંઈ નથી.
મૃગજળમાં ઝૂકી ઝૂકીને પ્રતિબિંબ જોઉં છું;
આછી છબી કળાય નહીં, એવું કંઈ નથી.
છબીના કોટ-કિલ્લા રચાયા સડક ઉપ૨;
વાદળથી ઝરમરાય નહીં, એવું કંઈ નથી.
હાથે-પગે છે બેડીઓ, પાટો છે આંખ પર;
તેથી ગઝલ લખાય નહીં, એવું કંઈ નથી.
વીતી ગયેલી ક્ષણ અને છૂટેલું તીર છું;
પાછા વળી શકાય નહીં, એવું કંઈ નથી.
માણસ મરે ને સ્વપ્નાઓ જીવતાં રહે છતાં
કબરો કદી ચણાય નહીં, એવું કંઈ નથી.
– ભગવતીકુમાર શર્મા
અર્થગંભીર ગઝલ….


Vineschandra Chhotai 🕉 said,
April 13, 2022 @ 1:08 PM
ગહન રજૂઆત અભિનંદન પાઠવ્યા છે સ્વીકાર કરસોજી
pragnajuvyas said,
April 13, 2022 @ 8:31 PM
મા. ભગવતીકુમાર શર્માની અર્થગંભીર ગઝલ
ખૂબ સ રસ મક્તા
માણસ મરે ને સ્વપ્નાઓ જીવતાં રહે છતાં
કબરો કદી ચણાય નહીં, એવું કંઈ નથી.
વાહ
સ્વપ્નાઓ જીવતાં વાતે-
ક્યારેક મૃત લોકો આપણા સ્વપ્નોમાં આવે છે. આવા સપના હંમેશાં કેટલાક ગંભીર ઇવેન્ટ્સને પૂર્વદર્શન કરે છે.જો કોઈ વ્યક્તિએ તેના જીવનને લાંબા સમય સુધી છોડી દીધું ન હતું અને તમે હજી પણ તેના વિશે ચિંતિત છો, તો તમે વારંવાર તેના વિશે વિચારો છો, “આવા સપના ફક્ત તમારા વિચારોને પ્રતિબિંબિત કરે છે અને કંઈપણ પૂરું પાડતા નથી.
કબરો -વિચારવમળે
ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા
કબરો ઉઘાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા..
મર મર કર મુસાફીરોને બસાયા હૈ તુજે
રુખ સબસે ફીરાકે મુંહ દીખાયા હૈ તુજે
ક્યું લીપટકર ન સોંઉ તુઝે અય કબ્ર
મૈંને ભી તો જાન દેકે પાયા હૈ તુજે
ધન્યવાદ ડૉ તીર્થેશજી
Vimala Gohil said,
April 13, 2022 @ 10:02 PM
ગમતીલી કાવ્ય ત્રયી. આભાર.
dhruv kumar said,
September 6, 2026 @ 7:44 PM
નકારાત્મક રદીફનો બોજ: “એવું કંઈ નથી” રદીફને નિભાવવા માટે જબરદસ્તીથી વાક્યો ગોઠવવામાં આવ્યા છે, જેનાથી કાવ્યત્વ ખોવાઈ ગયું છે.
તર્કહીન કલ્પનોનું પુનરાવર્તન: મૃગજળ, આભાસ અને અશક્ય વાતોને ચમત્કૃતિ ગણાવીને પીરસવાનો નિષ્ફળ પ્રયાસ છે.
ભાવશૂન્યતા: શેરમાં વાચકના હૃદયને સ્પર્શે કે બુદ્ધિને ઝંઝોળે એવી કોઈ ચોટ કે ગહનતા નથી.