ના કદી એણે મને દર્પણ ધર્યું,
એક જણ નખશિખ સાલસ નીકળ્યું.
– રક્ષા શુકલ

(ઘર થયું) – ખલીલ ધનતેજવી

ઘર તો તારાથી ખરેખર ઘર થયું,
જે કશું ખૂટતું હતું સરભર થયું.

તેં મને ઓઢી લીધો લોહીલુહાણ,
તારું કોરું વસ્ત્ર પાનેતર થયું.

જિંદગીભર જાતને તડકે મૂકી,
એ પછી અજવાળું મુઠ્ઠીભર થયું.

શ્વાસ પર પહેરો બની બેઠી છે ક્ષણ,
જીવવું શ્વાસો ઉપર નિર્ભર થયું.

એકધારું ક્યાં જિવાયું છે ખલીલ,
કટકે કટકે પૂરું આ જીવતર થયું.

– ખલીલ ધનતેજવી

સભારંજની શેર મોટાભાગે કવિતાની એરણ પર ફટકિયું મોતી સાબિત થતા હોય છે. પણ ખલીલભાઈની આ ગઝલ જુઓ. જે શેરો પર કવિ મહેફિલ ડોલાવતા હતા, એ શેરોમાં કેવા અમૂલ્ય મોતીનો ચળકાટ છે એ જોવા જેવું છે…

9 Comments »

  1. Rajnikant Shah said,

    April 9, 2021 @ 4:48 AM

    સુન્દર રચના

  2. Pravin Shah said,

    April 9, 2021 @ 5:58 AM

    ખલીલભાઈ !

    We miss you !

  3. હરીશ દાસાણી said,

    April 9, 2021 @ 9:06 AM

    શબ્દોમાં સરળતા અને ભાવજગતનું ઊંડાણ એટલે આ અત્યંત સુંદર ગઝલ

  4. pragnajuvyas said,

    April 9, 2021 @ 10:23 AM

    ગઝલ આજે જે લોકપ્રિય કક્ષાએ પહોંચી છે એમાં આજના યુગમાં ખલીલ ધનતેજવીનો ફાળો બહુ મોટો છે.માનવીય મૂલ્યોને પતન થતું હોય તો પણ એ વાત ખલીલની કવિતામાં જોવા મળે છે. એમની ગઝલો લોકપ્રિય થઈ એનું કારણ એ છે કે તેમની ભાષા બહુ સરળ હતી.ભલે સાહિત્યિક દૃષ્ટિએ એ વધુ મૂલ્યવાન ન લાગે પણ સામાન્ય લોકોને સ્પર્શે એવો સમાજનો અસલી ચહેરો તેઓ ગઝલમાં સાદી રીતે રજૂ કરતા હતા.

  5. સુનીલ શાહ said,

    April 10, 2021 @ 1:53 AM

    ઉત્તમ અભિવ્યક્તિ

  6. DILIPKUMAR CHAVDA said,

    April 11, 2021 @ 2:28 AM

    Wahhhhhhh
    એક ધારું……
    Salute to Unforgettable Poet

  7. Harihar Shukla said,

    April 12, 2021 @ 7:17 AM

    અજવાળું મુઠ્ઠીભર …
    અને એય કેવું? …
    👌💐

  8. Harihar Shukla said,

    April 12, 2021 @ 7:18 AM

    મુઠ્ઠીભર અજવાળું ઝળહળ ઝળહળ 👌💐

  9. Poonam said,

    April 12, 2021 @ 11:06 AM

    શ્વાસ પર પહેરો બની બેઠી છે ક્ષણ,
    જીવવું શ્વાસો ઉપર નિર્ભર થયું….
    – –ખલીલ ધનતેજવી – 👌🏻 hal Samay (vikraal) kaal !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment