રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
કલાપી

કબરની માટીથી – ગની દહીંવાળા

ઉતારી મેલે જગત ધૂળની સપાટીથી,
એ પહેલાં પ્રેમ કરી લ્યો કબરની માટીથી.

લખાણ રૂપે જો પ્રત્યક્ષ થૈ શક્યા ન અમે,
ઉપાડી લેવા હતા કો’ પરોક્ષ પાટીથી.

તરસના શ્વાસ જો ધીમા પડ્યા તો પડવા દો !
કે હોઠ ત્રાસી ગયા છે આ ઘરઘરાટીથી.

ખુદા ! ક્ષુધા હતી આદમની ઘઉંના દાણા શી,
અમે શિયાળ શું મન વાળ્યું દ્રાક્ષ ખાટીથી.

ન ભય બતાવ કયામતનો, મારા ઉપદેશક !
તને નવાજું હું જીવતરની હળબળાટીથી.

પરાણે જીવવું એ પણ છે એક બીમારી,
ઉપાય દમનો ન કરશો તબીબ ! દાટીથી.

નિરાંતે હાથ હયાતીની છાતીએ મેલ્યો,
ત્વચાનું પૂછ મા, દાઝી ગયા રુંવાટીથી.

‘ગની’, આ ગૂંચને જીવતરની પ્રક્રિયા જ ગણો,
દિવસ કપાય, તો રાત ઊભરાય આંટીથી.

– ગની દહીંવાળા

ક્લાસિક રચના…પ્રત્યેક શેર ઉમદા…

2 Comments »

  1. Prahladbhai Prajapati said,

    November 10, 2020 @ 6:22 AM

    સુન્દર્

  2. pragnajuvyas said,

    November 10, 2020 @ 10:17 AM

    સંઘેડા ઉતાર ગઝલ
    ઉતારી મેલે જગત ધૂળની સપાટીથી,
    એ પહેલાં પ્રેમ કરી લ્યો કબરની માટીથી.
    વાહ
    સ રસ મત્લા
    ધન્યવાદ ડો તીર્થેશજી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment