સમાધાનોના ગુંદરથી કદી સંધાય ના સંબંધ,
કદી છૂટાં, કદી સંલગ્ન? ના, હાંફી ગયો છું હું.
- વિવેક મનહર ટેલર

છોડવું નથી….– ભગવતીકુમાર શર્મા

આખું ભલે હો ગામ અભણ છોડવું નથી,
શબ્દો વહેંચવાનું વલણ છોડવું નથી.

રેતીનું ભીનું ભીનું કળણ છોડવું નથી,
મૃગજળના ડરથી મારે આ રણ છોડવું નથી.

છેલ્લી ઘડીનું મારે નથી છોડવું શરણ,
આવ્યું છે હોંશથી તો મરણ છોડવું નથી.

કોને ખબર કે ક્યારે ફરી સૂર્ય ઉગશે?
સંધ્યાનું છેલ્લું ઝાંખું કિરણ છોડવું નથી.

તૃષ્ણા, મિલન-વિરહની હવે ક્યાં કશી રહી?
હા, અંત લગ આ નામ શરણ છોડવું નથી.

– ભગવતીકુમાર શર્મા

2 Comments »

  1. હરિહર શુક્લ said,

    September 8, 2020 @ 7:03 AM

    👌💐

  2. Maheshchandra Naik said,

    September 8, 2020 @ 10:44 PM

    મુર્ધન્ય કવિ શ્રી ભગવતીકુમારની આ રચના ખુબ યાદગાર રચના અત્યન્ત વેદના સભર અને ભાવવાહી બની રહી …..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment