સેંકડો અડચણ વટાવી પહોંચ્યો છું તારા સુધી,
જાત પણ વચ્ચે નડી તો જાત ઓળંગી ગયો.
વિવેક ટેલર

तवक्को – मिर्ज़ा ग़ालिब

जब तवक्को ही उठ गयी ग़ालिब
क्यों किसी का गिला करे कोई

– मिर्ज़ा ग़ालिब

[ तवक्को = અપેક્ષા ]

કોઈ શેર આખી ગઝલને ભારે હોય છે, આ શેર આખા ગ્રંથને ભારે છે. આ નિરાશાનો ભાવ વ્યક્ત કરતો શેર નથી, આ એક નકરી શૂન્યતાને વ્યક્ત કરે છે. અહીં આગળ-પાછળ-ઉપર-નીચે કશું જ બચ્યું નથી. પ્રકાશ તો નથી જ નથી….પણ અંધારું સુદ્ધા નથી.

3 Comments »

  1. pragnajuvyas said,

    January 13, 2020 @ 1:10 PM

    ડૉ તીર્થેશજીના સ રસ આસ્વાદમા ‘ આ શેર આખા ગ્રંથને ભારે છે આ એક નકરી શૂન્યતાને વ્યક્ત કરે છે’ ચિંતન કરવા જેવી વાત. ધન્યવાદ આ મક્તાનો શેર આટલો અફલાતુન તો અનેક ગાયકોએ ગાયેલી આ ગઝલ સાંભળો તો આંખ નમ થાય…રુવાંટા ઉભા થાય…શૂન્યતા અનુભવાય
    इब्ने मरियम हुआ करे कोई,
    मेरे दुःख की दवा करे कोई.
    चाल जैसे कड़ी कमान का तीर,
    दिल में ऐसे कि जा करे कोई.
    शरअ व आईन पर मदार सही,
    ऐसे क़ातिल का क्या करे कोई.
    बात पर वां ज़ुबान कटती है,
    वो कहे और सुना करे कोई.
    बक रहा हूँ जुनूं में क्या क्या कुछ,
    कुछ न समझे ख़ुदा करे कोई.
    न सुनो गर बुरा कहे कोई,
    न कहो अगर बुरा करे कोई.
    कौन है जो नहीं है हाजतमंद,
    किसकी हाजत रवा करे कोई.
    रोक लो गर ग़लत चले कोई,
    बख़्श दो गर ख़ता करे कोई.
    क्या किया ख़िज़्र ने सिकंदर से,
    अब किसे रहनुमा करे कोई.
    जब तवक्को ही उठ गयी ग़ालिब,
    क्यों किसी का गिला करे कोई.
    मुश्किल अल्फ़ाज़ : ☆ इब्ने मरियम= ईसा मसीह, मरियम के बेटे, जो बीमारों का इलाज करके राहत पहुंचाते थे. ☆ शरअ= क़ानून या तरीक़ा ☆ आईन= संविधान, नियम-क़ायदा. ☆ मदार= क़ायम, भरोसा. ☆ वां= वहां. ☆ हाजतमंद= ज़रूरत मंद. ☆ ख़िज़्र= भटको को रास्ता दिखाने वाले एक पैग़म्बर. ☆ तवक्को= उम्मीद. ☆ गिला= शिकायत.આવી શૂન્યતા માટે આપણા ગુજરાતી કવિઓ એ પણ રચનાઓ કરી છે
    ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી
    મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી
    હું તો નગરનું ઢોલ છું દાંડી પીટો મને
    ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી
    શૂળી ઉપર અજીવું છું ને લંબાતો હાથ છું
    મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી
    નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ
    હું ઢોલ છું, પીટો મને કૈં પણ થતું નથી
    સાંત્વનના પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત
    બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી :જવાહર બક્ષી આ ‘શૂન્યતા’ ખરેખર સાચા સ્વરૂપની છે કે પછી દેખાદેખીથી પાડેલો પડઘો છે એવો પ્રશ્ન કેટલાક ઉપસ્થિત કરે છે. કશીક અનિવાર્યતાને વશ થઈને કેટલાક કવિઓ સાચી રીતે આવા ભાવોને અધિકૃત કરવા મથે, એને માટે પરમ્પરાથી ઊફરા જવું પડે તો તેમ કરીને અભિવ્યક્તિની નવી ગુંજાયશનો તાગ કાઢે; પણ પછી એની પાછળ જ આ અનિવાર્ય શોધની પ્રવૃત્તિને નરી ફેશનમાં અનુકરણ કરનારાઓનું ટોળું ઊભરાય. તો શૂન્યતા વિષે અનિલ વાળા કહે છે..
    કિલ્લા મહીં પડઘાય છે જીતોની શૂન્યતા,
    આખું નગર ક્યારે બન્યું પ્રેતોની શૂન્યતા ?
    એકેય બારી, ના હવે એકેય બારણું,.
    ફરતે અમારી છે નરી ભીંતોની શૂન્યતા.
    .

  2. praheladbhai prajapati said,

    January 14, 2020 @ 7:04 PM

    શુન્ય્તાને મલેલાખિતાબોથિ શુન્ય્તા જ દબઐ ગૈ

  3. Anil Shah.Pune said,

    November 23, 2020 @ 11:22 PM

    અપેક્ષાઓ રાખી નથી અનિલ,
    તોય જીવનમાં ઝઝુમવુ પડ્યું,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment