સખી, આંખોનું આયખું તો કેટલું ?
મારા વ્હાલમને જોઈ રહું, એટલું
– તુષાર શુક્લ

ઓછા ના થયા – વ્રજેશ મિસ્ત્રી

દૃશ્યના વિસ્તાર ઓછા ના થયા,
પાંપણોના ભાર ઓછા ના થયા.

છેવટે દરિયાય મીઠા થઈ ગયા;
આંસુઓના ખાર ઓછા ના થયા.

ના ઘટ્યા દળ એમના તલભાર પણ,
કે સ્મરણ તલભાર ઓછા ના થયા.

રાતભર આંખો ઉલેચી તોય પણ;
ભીતરે અંધાર ઓછા ના થયા.

ભીડની વચ્ચે મૂકી’તી જાત મેં,
તોય આ સુનકાર ઓછા ના થયા.

– વ્રજેશ મિસ્ત્રી

પાંચેય શેર મજાના થયા છે. કવિએ રદીફ ખૂબ સરસ રીતે નિભાવી છે. ચોથા શેરમાં ‘તોય પણ’માં ‘ય’ અથવા’પણ’ -બેમાંથી એકનો પ્રયોગ ટાળી શકાયો હોત તો રચના ભાષાદોષમુક્ત થઈ શકી હોત.

4 Comments »

  1. Kajal kanjiya said,

    January 3, 2020 @ 2:08 AM

    Wahhh

  2. pragnajuvyas said,

    January 3, 2020 @ 12:17 PM

    ગઝલના બધા શેર સ રસ
    પણ મક્તાનો શેર અફલાતુન
    ભીડની વચ્ચે મૂકી’તી જાત મેં,
    તોય આ સુનકાર ઓછા ના થયા.
    યાદ આવે
    હઝારો શોરોગુલમે દિલ તન્હા હૈ,
    હઝારોકી ભીડમે દિલ અકેલા હૈ આ અનુભવવાની વાત છે
    ધન્યવાદ ગઝલકાર વ્રજેશ મિસ્ત્રીજી અને આસ્વાદ કરાવનાર ડૉ વિવેકજી

  3. Dilip Chavda said,

    January 5, 2020 @ 1:02 PM

    વાહ સુંદર ગઝલ
    બીજો શેર વિશેષ પસંદ પડ્યો

  4. shriya said,

    January 8, 2020 @ 1:52 PM

    વાહ!! ભીડની વચ્ચે મૂકી’તી જાત મેં,
    તોય આ સુનકાર ઓછા ના થયા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment