મૈત્રીના વર્તુળોમાં જનારાની ખૈર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
બરકત વિરાણી 'બેફામ'

પીડાના ટાંકણાંની….- મનોજ ખંડેરિયા

પીડાના ટાંકણાંની ભાત લઈ દરવાજે ઉભો છું,
કળામય આગવો આઘાત લઈ દરવાજે ઉભો છું.

નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિન-રાત લઈ દરવાજે ઉભો છું.

તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઉભો છું.

ઉભો દ્વારે શીશુભોળો દયામય મંદિર ખોલો,
બચેલાં શ્વાસની સોગાત લઈ દરવાજે ઉભો છું.

– મનોજ ખંડેરિયા

હું તો મક્તાથી જ ઘાયલ થઇ ગ્યો…..

1 Comment »

  1. MAHESHCHANDRA THAKORLAL NAIK said,

    October 18, 2019 @ 11:19 PM

    સરસ,સરસ…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment