કહ્યું કોઈનું એ નથી માનવાના
ચણે જેઓ કિલ્લા નરાતાળ વા’ -ના
– સંજુ વાળા

(રાહત થઈ ગઈ) – ભરત ભટ્ટ ‘પવન’

આજે પાછી સદગત થઈ ગઈ,
ઇચ્છાની આ આદત થઈ ગઈ.

એની સાથે રહેવા માટે
નિષ્ફળતા પણ સંમત થઈ ગઈ.

દુઃખોની જે ઢગલી કીધી;
એ પણ પળમાં પર્વત થઈ ગઈ.

તારી-મારી જૂની વાતો;
બસ, ઓચિંતી સાંપ્રત થઈ ગઈ.

ચર્ચાની વચ્ચે-વચ્ચે પણ
થોડી ચર્ચા અંગત થઈ ગઈ.

બાપા જલ્દી મૃત્યુ પામ્યા!
કન્યા જલ્દી ઓરત થઈ ગઈ.

શ્વાસો લેવાનું મેં છોડ્યું;
તે દા’ડાથી રાહત થઈ ગઈ.

– ભરત ભટ્ટ ‘પવન’

સરળ. સહજ.

1 Comment »

  1. Yogesh Shukla said,

    November 11, 2019 @ 10:24 PM

    એક એક શેર દમદાર ,
    ગઝલ પણ શાનદાર ,
    મઝા આવી ગઈ ,,,,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment