વૃક્ષોનાં નામ યાદ હું રાખી નથી શક્યો;
વૃક્ષોનાં છાંયડાઓ મને ઓળખી ગયા.
મનહરલાલ ચોક્સી

(લુચ્ચાઈ ન હો) – મેહુલ પટેલ ‘ઈશ’

શાયરીમાં કોઈ સચ્ચાઈ ન હો,
મારા હાથે એવી લુચ્ચાઈ ન હો.

મારા કાવ્યો માત્ર મારાં હો, પ્રભુ!
ભૂલથી પણ કોઈની પરછાઈ ન હો.

જા, તને આપું છું એવી બદદુઆ-
મંદિરે પહોંચે અને સાંઈ ન હો.

એમ મમળાવું છું મારી ગઝલોને,
જાણે મનહરભાઈએ ગાઈ ન હો!

-મેહુલ પટેલ ‘ઈશ’

સરળ ભાષા પણ વાત કેવી મજાની! આટલી પ્રામાણિકતા હોય તો જ સાચી કવિતા વરમાળા પહેરાવે…

2 Comments »

  1. SANDIP PUJARA said,

    January 24, 2019 @ 5:06 AM

    વાહ મેહુલ …. ખુબ સરસ….

  2. Uma parmar said,

    January 27, 2019 @ 12:00 PM

    Saras..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment