આવશે ‘ઈર્શાદ’, અસલી ઘર હવે,
જીવ મારો ખોળિયે મૂંઝાય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગીત સમાં લાગે.. – મુકેશ જોષી

કોઈ કોઈ વાર મારાં ટેરવાંને
રડવાની એવી તો ઇચ્છાઓ જાગે
મૂકી કલમની છાતી પર માથું ને
હીબકાંઓ ભરવાને લાગે
— તો કાગળ પર આંસુ આ ગીત સમાં લાગે

કોઈ મનગમતી વાત, કોઈ અણગમતી રાત
અમે દાટી તો દેતાં પાતાળે
કેમ કરી સમજાવું લાગણીને
ટેરવાંની માંહેથી ડોકિયાંઓ કાઢે
ટેરવાંથી દદડે આ ચોમાસાં ધોધમાર
વેદનાની ઠેસ સ્હેજ વાગે
— તો કાગળ પર આંસુ આ ગીત સમાં લાગે

લયના ઊંડાણમાં હું ડૂબકી મારું ને
આમ શબ્દોનાં છીપ ઘણાં નીકળે
કાગળ પર મૂકીને છીપલાંઓ ખોલું તો
અર્થોનાં મોતી કંઈ વીખરે
મોતી પર ઊર્મિઓ કોતરવા માટેની
જીદ હું ગાતો જે રાગે
— તો કાગળ પર આંસુ આ ગીત સમાં લાગે

– મુકેશ જોષી

1 Comment »

  1. SARYU PARIKH said,

    November 1, 2018 @ 2:35 PM

    વાહ્ સુંદર રચના..સરયૂ પરીખ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment