જોઈને ઓળખું છું કોઈને
ક્યાંક ભીતરની પહેચાન લાગે
ભરત વિંઝુડા

તારા વિચારમાં…. – જવાહર બક્ષી

કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં,
સ્વપ્નોય આજકાલ મળે છે સવારમાં.

જ્યાં ચાલીએ તે રાહ ને રોકાઇએ રે ઘર,
એવું તે શું કે આખું જીવન જાય દ્વારમાં..!

શ્રધ્ધા તો ઠીક કોઇ અશ્રધ્ધા રહી નથી,
આંખો કરું છું બંધ હવે અંધકારમાં.

ક્ષણભર મેં સાંભળ્યો હતો સાચુકલો અવાજ,
પડઘાઉં છું સદીથી હજી સૂનકારમાં.

કંઇ પણ કરી શકાય છે તારા વિચારમાં,
કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં.

– જવાહર બક્ષી

1 Comment »

  1. vimala said,

    September 5, 2018 @ 3:21 PM

    “શ્રધ્ધા તો ઠીક કોઇ અશ્રધ્ધા રહી નથી,
    આંખો કરું છું બંધ હવે અંધકારમાં.
    ક્ષણભર મેં સાંભળ્યો હતો સાચુકલો અવાજ,
    પડઘાઉં છું સદીથી હજી સૂનકારમાં”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment