ભીંત વચ્ચેથી સોંસરું પડશે -
મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

મારામાંથી છટકીને – સંજુ વાળા

મારામાંથી છટકીને તું
મને પરાયો ગણે !

ઓળખ નામે ચિહ્ન હતું ત્યાં મૂક્યું મોટું મીંડું
તે દિવસથી પડવા લાગ્યું મારાપણામાં છીંડું
હું અહીંથી ત્યાં આવું પણ
તું પણે નો પણે… મને પરાયો ગણે !

બની બ્હાવરા ચપટી આંખે તાક્યું આખ્ખું આભ
પગપાનીથી પાંપણ પર્યન્ત આભ પછીથી ડાભ
ઝાંય ઝાંય જન્મોની ડાળો
કોરીકટ રણઝણે… મને પરાયો ગણે !

છળ તરંગો છળની ઘટના છળવત માણી મજા
છળમય થઈને છળથી અળગા રહેવાની આ સજા
છળપણાનો જીવ પછીથી
ફૂટતો ક્ષણે… ક્ષણે… મને પરાયો ગણે !

-સંજુ વાળા

એકથી વધુ રીતે કાવ્યાર્થ કરી શકાય – કો’ક પ્રિયજનની પણ વાત હોઈ શકે….. આત્મશોધનના યાત્રીને આમાં અનહદનો સૂર સાંભળી ચૂકેલો અંતરાત્મા દીસે કે જે હવે ચર્મદેહમાં વસવા તૈયાર નથી…..સત્યની શોધમાં નીકળેલા મુસાફરને ગેબી ઈશારો સતાવતો હોય એવું પણ ભાસે….જેવી જેની પ્રજ્ઞા……

6 Comments »

  1. Poonam said,

    August 28, 2018 @ 4:29 AM

    Sa Rus parate kholti…

  2. વિવેક said,

    August 29, 2018 @ 2:49 AM

    સાદ્યંત સુંદર રચના…

  3. SANDIP PUJARA said,

    August 29, 2018 @ 4:03 AM

    ​આહાહા…..​
    છળપણાનો જીવ પછીથી
    ફૂટતો ક્ષણે… ક્ષણે….. ખુબ સુંદર

  4. Harshad said,

    August 29, 2018 @ 7:19 AM

    Awesome !!!

  5. સંજુ વાળા said,

    August 30, 2018 @ 2:38 AM

    ખૂબ ખૂબ આભાર

  6. Mohamedjaffer Kassam said,

    September 10, 2018 @ 6:31 AM

    ફૂટતો ક્ષણે… ક્ષણે… મને પરાયો ગણે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment