માણસ કેરા ચ્હેરાઓ છે, માણસ ક્યાં છે ?
ચ્હેરા પણ ક્યાં ? મ્હોરાઓ છે, માણસ ક્યાં છે ?
પદ પ્રતિષ્ઠા પૈસા કેરી હવા ભરીને
ખૂબ ફૂલેલા ફુગ્ગાઓ છે, માણસ ક્યાં છે ?
કિશોર બારોટ

કવિનો શબ્દ – ચિનુ મોદી

મને તું બાંધે છે જડ જગતના નિત્ય નિયમે?
મને? મારો આપું પરિચય તને? હું પવન છું;
વહું છું સ્વેચ્છાએ અલસ અથવા તીવ્ર ગતિથી
પછાડું વર્ષોનાં ખખડધજ વૃક્ષો પલકમાં
અને એનો એ હું કુસુમરજ વ્હેચું વન વિશે.

તને આપું મારો પરિચય હજી? હું સમય છું,
ક્ષણોનો સ્વામી છું, સતત સરકું છું અખિલ આ
રચેલા બ્રહ્માંડે; સઘન બનતું શૂન્ય જગનું
ઉલેચું એથી તો પ્રલયકર વિસ્ફોટ અટકે.

હજી તારી આંખે કુતૂહલ વસે? તો સમજ કે
ધરા ને આકાશે, ગહનતમ પાતાળતળમાં
વહી છાનો છાનો ધ્વનિત બળતો હું લય; સખી.

છટાથી આ વાયુ-સમય-લયને એક કરતો
ત્રિકાલે બ્રહ્માંડે, મુખરિત થતો શબ્દ કવિનો.

– ચિનુ મોદી

સૌ ભાવકોને વિનંતી કે સોનૅટ માટેનો અણગમો છોડીને આ સોનૅટ મમળાવે…..તમામ રીતે સુંદર એવું આ સોનૅટ એક પ્રખર સત્ય ગાય છે…..’ to be or not to be that is the question’ – આવા કવિશબ્દો કાળ સાથે નાશવંત હોતા નથી……

7 Comments »

  1. M.J.A.KASSAM said,

    May 28, 2018 @ 9:41 AM

    બહુજ સરસ્

  2. Neetin D Vyas said,

    May 28, 2018 @ 11:34 AM

    કવિ તો કાળને નાથ નારા!
    પીતા જિવનસાગર ભલે હોય ખારા.
    રહે સમુહ વચ્ચે પણ છે,
    અમ સૌથી સદા ન્યારા!

  3. Pravin Shah said,

    May 28, 2018 @ 5:23 PM

    અને અમ સહુને અતિ પ્યારા !

  4. Jay Thakar said,

    May 29, 2018 @ 1:07 AM

    કવિ તો કાળને નાથ નારા!
    પીતા જિવનસાગર ભલે હોય ખારા.
    રહે સમુહ વચ્ચે પણ છે,
    અમ સૌથી સદા ન્યારા!
    Just some clarification: The above line were written by me, but somehow got published under Navin D. Vyas’s name!

  5. LaKant Thakkar said,

    June 4, 2018 @ 1:31 AM

    “વહી છાનો છાનો ધ્વનિત બળતો હું લય; સખી.”
    સખી ? … આ અચાનક કેમ ?
    સમગ્ર કવિત કોને સંબોધીને? ઈશ્વરને? કે ભાવકને જ ને?
    કવિનો શબદ -અરથ … શાશ્વત -સમય ની જેમ ,નાશવંત ખરો?
    પવનની ગતિને ઉપલબ્ધ ,એ તો ઘૂમ્યા કરે,વહ્યા કરે યુગોની આરપાર ….
    પણ, ( ગહનતમ પાતાળતળમાં ” બળતો ” ???) અને તે “લય” … કેમ બળે ?
    કે પછી કવિની છૂટ ?
    દ્વારા શું અભિપ્રેત છે ? સમજાવો … અમારી સમજણ નો પનો ટૂંકો પડે છે?

  6. LaKant Thakkar said,

    June 4, 2018 @ 1:36 AM

    શબદ-અરથ શાશ્વત ઠીક ,માન્યું!
    પણ , “…ગહનતમ પાતાળતળમાં,વહી છાનો છાનો ધ્વનિત બળતો હું લય”
    લય અને તે બળતો?
    પ્રજ્ઞાવાન સમજણ આપે તો ઠીક ! { અમારી સમજણનો પનો ટૂંકો ! }

  7. LaKant Thakkar said,

    June 4, 2018 @ 1:38 AM

    “વહી છાનો છાનો ધ્વનિત બળતો હું લય; સખી.”
    સખી ? … આ અચાનક કેમ ?
    સમગ્ર કવિત કોને સંબોધીને? ઈશ્વરને? કે ભાવકને જ ને?
    કવિનો શબદ -અરથ … શાશ્વત -સમય ની જેમ ,નાશવંત ખરો?
    પવનની ગતિને ઉપલબ્ધ ,એ તો ઘૂમ્યા કરે,વહ્યા કરે યુગોની આરપાર ….
    પણ, ( ગહનતમ પાતાળતળમાં ” બળતો ” ???) અને તે “લય” … કેમ બળે ?
    “કે પછી કવિની છૂટ ?)
    દ્વારા શું અભિપ્રેત છે ? સમજાવો … અમારી સમજણ નો પનો ટૂંકો પડે છે?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment