વાયુમાં વિશ્વાસનું કારણ હતું;
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

– એમાં મારો શું વાંક? – સુરેશ દલાલ

મેં તો આપ્યું’તું તને મોતી
ને તને શંખલા ને છીપલાં વ્હાલા લાગે
– એમાં મારો શું વાંક?

મેં તો માણસની પ્રગટાવી જ્યોતિ
ને તને ઢીંગલી ને ઢીંગલા વ્હાલા લાગે
– એમાં મારો શું વાંક?

મેં તો આંબો આપ્યો ને તને બાવળ ગમે
મેં તો શાંતિ આપી, તને ઉતાવળ ગમે
મેં તો આકાશ આપ્યું ને તને વાદળ ગમે
મેં તો સત્ય આપ્યું,
ને તને સપનાંઓ વાંઝિયા ને ઠાલાં ગમે
– એમાં મારો શું વાંક?

મેં તો રસ્તો આપ્યો તને ચરણો આપ્યાં
પણ ચરણોને બેડી તેં બાંધી દીધી,
મેં તો હોંશે હોંશે એક ઉછેર્યો’તો બાગ
પણ બાગમાં તેં રણ ને આંધી કીધી
મેં તો એક એક દરવાજા ખોલ્યા
પણ દરવાજે દરવાજે તને તાળાં ગમે
– એમાં મારો શું વાંક?

– સુરેશ દલાલ

 

એકદમ મુદ્દાની વાત !!!!!

3 Comments »

  1. ketan yajnik said,

    April 24, 2018 @ 8:35 AM

    સચોત વાત્

  2. JAFFER said,

    April 24, 2018 @ 12:08 PM

    – એમાં મારો શું વાંક?

  3. Indu Shah said,

    May 2, 2018 @ 10:35 PM

    ઈશ્વર આપણને આપે છે, આપણે માણી શકતા નથી!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment