જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય ;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય , ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ.
’શૂન્ય’ પાલનપુરી

પાંખડીમાં – ગની દહીંવાલા

એક સ્વર્ગ સાંપડ્યું છે ઉલ્ફતની જિંદગીમાં,
દુનિયાથી જઈ વસ્યો છું તેઓની આંખડીમાં.

માનવ છું, માનવીનું દુઃખ મારું દુઃખ ગણું છું,
છું પુષ્પ, પ્રાણ મારો છે સર્વ પાંખડીમાં.

ચોંટી છે રૂપ સામે મુજ દૃષ્ટિ એમ જાણે,
મોઢું જુએ ચકોરી ચંદાની આરસીમાં.

મેં તેમના વદન પર જોયા છે કેશ કાળા,
ને ચંદ્રને લપાતો જોયો છે વાદળીમાં.

અંતરની વેદનાઓ એ રીતથી વધી કે,
અંતર નથી વધુ કંઈ મૃત્યુ ને જિંદગીમાં.

આંસુનાં નીર સીંચી પોષી અમે વસંતો,
રંગીન સ્વપ્ન જોયા ગમગીન જિંદગીમાં.

હર રંગમાં ‘ગની’, હું દુનિયાને કામ આવ્યો,
મિત્રોને મિત્રતામાં, દુશ્મને દુશ્મનીમાં.

– ગની દહીંવાલા

ગનીચાચાની ખૂબ શરૂઆતની રચના છે આ….’અંતરની વેદનાઓ એ રીતથી વધી કે, અંતર નથી વધુ કંઈ મૃત્યુ ને જિંદગીમાં.’- ગાલિબની છાંટ દેખાઈ આવે છે…..

1 Comment »

  1. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    February 28, 2018 @ 4:18 AM

    મક્તા ખુબ ગમ્યો. આખી ગઝલ સુંદર.

    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment