એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી

ગઝલ – વૈરાગ પરમાર

રસ્તાએ વિસ્તાર વધારી દીધો છે,
તારાં ઘરનો મારગ નહિતર સીધો છે.

પાને પાને કેમ પુરાવા નોંધાવ્યા ?
સાક્ષી રૂપે ઈશ્વરને તો લીધો છે.

વનવગડાને ખાલી કરવા તાબડતોબ,
કરવતના કસબીએ ઑર્ડર કીધો છે.

કોણે કીધું કેવળ ઝરણાં લીધાં છે ?
દરિયાએ પર્વતને ખોળે લીધો છે.

વૈદોએ તો નાડ તપાસી તરત કહ્યું,
આ માણસને સંજોગોએ પીધો છે.

– વૈરાગ પરમાર

એક-એક શેર સીધા સોંસરા ઊતરી જાય એવા ધારદાર… ઈશ્વર વિશેની આપણી શ્રદ્ધાની ઠેકડી ઊડાડતો શેર અખાના છપ્પાની યાદ અપાવે એવો બળવત્તર થયો છે. પહેલવહેલીવાર આ કવિની કોઈ રચના સાથે પનારો પડ્યો ને મને લવ-એટ-ફર્સ્ટ-સાઇટ થઈ ગયો (ગઝલ માટે!!).

5 Comments »

  1. Rina said,

    February 27, 2016 @ 7:30 AM

    Wahhhhh

  2. Bhadresh Joshi said,

    February 27, 2016 @ 9:46 AM

    વિચાર વિસ્તાર કરો, પ્લિઝ્.

  3. Dr. M S Patel said,

    February 27, 2016 @ 10:32 PM

    ભાઈ શ્રી વૈરાગ પરમાર:

    ગઝલ તમારી ખુબ ગમી

    … .. ને છેલ્લે આ એક મક્તા મારા તરફથી ઉમેરશો

    આતો તમારો પ્યાર છે, લખાવે છે ગઝલ દોસ્તો
    નહીતર અમે તો ક્યાર નો યે “વૈરાગ” લીધો છે

  4. nehal said,

    February 28, 2016 @ 2:49 AM

    Waah…mast gazal!

  5. La' Kant Thakkar said,

    March 5, 2016 @ 6:33 AM

    સરસ ! ” અભિનંદન …”આ માણસને સંજોગોએ પીધો છે. ” આ પંક્તિ માટે…– ભાઈ વૈરાગ પરમાર

    “….સોંસરા ઊતરી જાય એવા ધારદાર… કટાક્ષ બળવત્તર થયો છે. ”
    કહેવાનું મનઃ- …શબ્દનો કોઈ ભરોસો નહીં ! ક્યાકથી મારામાં ઉતારી આવે અચાનક મ,એ સંજોગ એવા કે …પછી લખવુંજ પડે ભાઈલા !
    “મારગ નહિતર સીધો છે….”પણ, મેં મને જ કન્ફયુઝ કર્યો ને નડ્યો મને હું ! ,નહીંતર,તું ….. ક્યા દૂર હતી ?”
    “.સાક્ષી રૂપે ઈશ્વરને તો લીધો છે.”- સામે …ભાઈ,..ઈશ્વર પોતે મારો પડછાયો બની પીછો કરે ..!”
    “હું તો જાણે છું, પુષ્કળ પ્રકાશનો પૂંજ પૂંજ, તેજવર્તૂળ વ્યાપ છું ,
    શૂન્યનો અનંત વિસ્તાર છું, ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું
    (“લક્ષ્મીકાંત મોહનલાલ ઠક્કર,’કઈંક’)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment