ગૂંજ્યા કરે મહેલમાં પગરવ હજુ “પ્રણય”
અંદર પ્રવેશ્યું કોણ એ ઝાંપાથી ગુપ્ત છે
અનંત રાઠોડ ‘પ્રણય’

તું અને હું જાણે સામા કિનારા – શુકદેવ પંડ્યા

તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદળ વૈશાખના
પણ મૌન કંઈ કહેતું એ શું?

હળવેથી વાતી આ લેહેરાતી લેરખી
ને લેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
ને એમાં કદબંની આ છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?

શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલીપો ઓઢીને સુતું આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ રુદિયામાં રોતું એ શું?

તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?

– શુકદેવ પંડ્યા

2 Comments »

  1. Mukesh Vora said,

    July 6, 2015 @ 3:24 AM

    ખુબજ સુન્દર રચના
    માયા ને છાયા તો સમજ્યા સાજન
    પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?
    ખુબ સરસ કલ્પના

  2. kantilal babulal sopariwala said,

    July 17, 2026 @ 12:02 PM

    શુકદેવ સાહેબ ની ખુબજ સુંદર અને આત્મીય રચના
    એક મૌન છે એક બોલી નથી શકતું એવા પ્રેમ ની રસ
    રસ યાત્રા ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment