વાત સુધરી શકે, વાત જો થાય તો,
આટલી વાત બંનેને સમજાય તો!
શબનમ ખોજા

ઘર ક્યાં છે ? – મનહર મોદી

મકાનો, માણસો જોયાં, નગર ક્યાં છે ?
બધું હાજર છતાંયે એક ઘર ક્યાં છે ?

પહેરો હોય છે જ્યાં વૃક્ષની ફરતે,
ખૂલીને જીવવાની પણ કદર ક્યાં છે ?

નથી પાદર, નથી ગોચર, નથી વગડો,
ભર્યા અચરજ સમી નભની અસર ક્યાં છે ?

નથી મળતી નિખાલસ જિંદગી ક્યાંયે,
ભરોસો કેળવે એવી નજર ક્યાં છે ?

ઉઠાવી બોજ ચાલ્યો જાય છે એમ જ,
હશે ક્યાં માનવી જીવનસભર, ક્યાં છે ?

નથી એ બોલતો કે બોલવા દેતો,
સરસ સંવાદની એને ખબર ક્યાં છે ?

– મનહર મોદી

જીવનનો ખાલીપો, અભાવ એ બહુધા કવિતાઓનો  પ્રાણ બની રહે છે…

4 Comments »

  1. neerja said,

    September 23, 2011 @ 1:44 AM

    है सबसे मधुर वो गीत जिसे हम ददॅके सुरमैं गाते हैं ….
    beautiful poem. .

  2. ડૉ.મહેશ રાવલ said,

    September 23, 2011 @ 7:41 AM

    સરસ ગઝલ
    એમાંય, આ શેર શિરમોર
    પહેરો હોય છે જ્યાં વૃક્ષની ફરતે,
    ખૂલીને જીવવાની પણ કદર ક્યાં છે ?
    -વાહ….!

  3. P Shah said,

    September 24, 2011 @ 1:15 AM

    સુંદર !

  4. Sudhir Patel said,

    September 24, 2011 @ 12:41 PM

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment