ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.
વિવેક મનહર ટેલર

શું વળે ! – શિવજી રૂખડા

વાત બીજે વાળવાથી શું વળે !
ને હકીકત ખાળવાથી શું વળે !

આપણે તો આપણે, બસ આપણે
જાત બીંબે ઢાળવાથી શું વળે !

ફક્ત કિરણ એક ઝીલી ના શક્યા
સૂર્ય આખો ચાળવાથી શું વળે !

દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે
ડાળખી ફંગોળવાથી શું વળે !

આપણો વિસ્તાર છે ફળિયા લગી
ગામને ઢંઢોળવાથી શું વળે !

આંખ છે ખુલ્લી અને ઝોલે ચડ્યા
દીપ ઝળહળ બાળવાથી શું વળે !

-શિવજી રૂખડા

કેટલીક કૃતિઓને શબ્દોના આધારની જરૂર નથી હોતી….

3 Comments »

  1. Foram said,

    August 13, 2006 @ 8:44 AM

    ફક્ત કિરણ એક ઝીલી ના શક્યા
    સૂર્ય આખો ચાળવાથી શું વળે !

    વાહ! ખરેખર આ કૃતિને શબ્દોની જરૂર નથી..

  2. ધવલ said,

    August 13, 2006 @ 2:13 PM

    વાત બીજે વાળવાથી શું વળે !
    ને હકીકત ખાળવાથી શું વળે !

    આપણે તો આપણે, બસ આપણે
    જાત બીંબે ઢાળવાથી શું વળે !

    અદભૂત !

  3. manvant said,

    August 14, 2006 @ 11:14 PM

    આપણો વિસ્તાર છે ફળિયા લગી,
    ગામને ઢંઢોળવાથી શું વળે ?…આખું કાવ્ય સરસ હોય, ત્યાં શબ્દો ક્યાંથી શોધવા ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment