આપણો વિસ્તાર છે ફળિયા લગી,
ગામને ઢંઢોળવાથી શું વળે?
શિવજી રૂખડા

તો ખરા ! – ‘પથિક’ પરમાર

ઝાંઝવાને બાથ ભરો તો ખરા;
પેટમાં અજગર પાળો તો ખરા.

દીવડાને દૂર રાખી જ્યોતથી
અંધકારને ઉલેચો, તો ખરા.

પાનખરને આમ હડસેલો નહીં;
શક્યાતાને આવકારો, તો ખરા.

સામસામે જોઈ લેવું ઠીક છે;
ભીંત સોંસારવા નિહાળો તો ખરા.

ચાર પળનો ચટકો કયાંથી પાલવે?
શ્વાસના સંબધ રાખો, તો ખરા.

દ્વાર સામે ઝૂરતી પીળાશ છે;
સ્હેજ દરવાજો ઉઘાડો, તો ખરા.

– ‘પથિક’ પરમાર

4 Comments »

  1. Abhijeet Pandya said,

    September 4, 2010 @ 11:07 AM

    ઝાંઝવાને બાથ ભરો તો ખરા;
    પેટમાં અજગર પાળો તો ખરા.

    ગઝલ રમલ છંદમાં છે. પરંતુ ગા લ ગા ગા ગા લ ગા ગા ગા લ ગા નું બંધારણ બરોબર જળવાતું જોવા નથી મળતું.
    પથીક ભાઇ પરમાર અમારા ભાવનગરના આગળ પડતા ગઝલકારોમાંના એક છે. િપ્રન્ટ એરર હોય તેવું લાગે છે.
    સુધારો કરવા િવનંતી.

    અિભજીત પંડ્યા. ( ભાવનગર ).

  2. bharat vinzuda said,

    September 4, 2010 @ 1:05 PM

    Print arar nathi. kharekhar bhool j hoy aevu lage chhe.
    KAFIYA DOSH PAN CHHE.

  3. વિવેક said,

    September 4, 2010 @ 11:59 PM

    છંદદોષ પણ ચલાવી ન શકાય એવો અને કાફિયાદોષ પણ એવો જ…

    ગુજરાતી કવિઓ-વિવેચકો-સંપાદકોમાં હિંદી-ઉર્દૂ સાહિત્યપ્રેમીઓ જેવી છાતી નથી…

  4. kantilal said,

    April 4, 2011 @ 8:02 AM

    સારુ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment