સફરજનની મીઠી ફસલ આવશે,
ને આદમની પાછી નસલ આવશે.

વિચારો વટાવીને આગળ જજો,
ન કાપી શકો એ મજલ આવશે.
– અશરફ ડબાવાલા

એક આશીર્વાદ – દુષ્યંતકુમાર

જા તારા સપના મોટા થાય.
લાગણીઓના ખોળામાંથી ઉતરીને
જલ્દી જમીન પર ચાલતાં શીખે.
ચાંદ-તારા જેવી અપ્રાપ્ય ઊંચાઈઓને માટે
રીસાતા જીદ કરતા શીખે.
હસે
મલકાય
ગાય.
દરેક દીવાનું તેજ જોઈને લલચાય,
પોતાની આંગળી દઝાડે.
પોતાના પગ પર ઊભા રહે.
જા તારા સપના મોટા થાય.

-દુષ્યંતકુમાર

હિન્દીના મોટા ગજાના કવિ દુષ્યંતકુમારની આ કવિતા મારી અતિપ્રિય કવિતાઓમાંથી એક છે. એ વાચકને આશીર્વાદ આપવાને બદલે સીધા સપનાઓને આશીર્વાદ આપે છે ! સપનાના મોટા થવાની ઘટના આખી જીંદગી ચાલ્યા જ કરે છે. અને ખરેખર જોઈએ તો જીંદગી સપનાના સરવાળાથી વધારે છે પણ શું ?

મૂળ કવિતા एक आशीर्वाद ‘કાવ્યાલય’ પર ઉપલબ્ધ છે.

Leave a Comment