શૈલેશ પારેખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
January 7, 2010 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રવીન્દ્રનાથ ઠાકુર, વિશ્વ-કવિતા, શૈલેશ પારેખ
મને રજા મળી ગઈ છે.
મિત્રો, મને વિદાય આપો.
હું તમને સૌને વંદન કરીને વિદાય લઉં છું
મારા દરવાજાની ચાવી પાછી સોંપું છું
અને મારા ઘર પરના તમામ હક છોડી દઉં છું.
તમારીપાસે માત્ર અંતિમ પ્રેમભર્યા શબ્દો માગું છું.
આપણે ઘણો સમય એકબીજાના સાન્નિધ્યમાં રહ્યા
અને હું આપી શકું તેનાથી વધારે પામ્યો છું.
હવે પરોઢ થયું છે.
અને મારા અંધારા ખૂણાને અજવાળતો દીવો બુઝાઈ ગયો છે.
તેડું આવ્યું છે.
અને હું મારી મુસાફરી માટે તૈયાર છું.
– રવીન્દ્રનાથ ટાગોર
અનુ.: શૈલેશ પારેખ
ગઈકાલે ગાગરમાં સાગર સાઇટ પર રાજેન્દ્ર શાહના અંતિમ શબ્દો વાંચ્યા: “પણ આવતીકાલે હું હોઈશ તો ને ? આ તો ખોળિયું બદલવાનો ઉત્સવ છે. મારા અવસાન પછી કોઈ શોક મનાવશો નહિ. હું બિલકુલ સ્વસ્થતાથી જઈ રહ્યો છું.”
– આ વાંચીને ટાગોરની આ કવિતા યાદ આવી ગઈ. મૃત્યુ અફર છે એ જાણવા છતાં અને પ્રત્યેક શ્વાસ મૃત્યુ તરફની અનવરત ગતિ હોવાનું પૂર્ન જ્ઞાન હોવા છતાં દરેક મનુષ્ય પોતે કદી મરવાનો જ નથી એ જ રીતે જીવતો હોય છે અને મૃત્યુની એંધાણી મળે ત્યારે બહુધા સ્વસ્થ રહી શક્તો નથી. ઋષિકવિ જ મૃત્યુને આવકારી શકે. મરતી વખતે વિદાય લેવાની કવિની આ રીત ખરેખર તો જિંદગીનું ગૌરવગાન છે. ‘હવે પરોઢ થયું છે’ પંક્તિમાં આ કાવ્ય ખરો ઉજાસ પામે છે…
Permalink
November 16, 2006 at 2:00 AM by સુરેશ · Filed under ગીત, રવીન્દ્રનાથ ઠાકુર, શૈલેશ પારેખ
જ્યાં રહે મન નિર્ભય અને
શિર ઉન્નત ને
હો જ્ઞાન મુક્ત,
જ્યાં સંકુચિત મનોવૃત્તિથી
નથી જગત વિભાજિત
અને સત્યના ઊંડાણેથી
થતા શબ્દ ઉદ્ ભવિત,
જ્યાં સત્યની શોધ
સદા અવિરત, અસ્ખલિત,
જ્યાં તર્કનો શુધ્ધ નિર્ઝર
ન સુકાતો રૂઢિના રણે
અને સદા વિસ્તરતા વિચાર અને
કર્મના ગગને અનુસરે
મન તારા પગલે,
હે, નાથ!
જગવ મુજ દેશને
એ મુક્તિના સ્વર્ગે.
– રવીન્દ્રનાથ ઠાકુર
ભાષાંતર – શૈલેશ પારેખ
Where the mind is without fear,
and the head is held high.
Where knowledge is free.
Where the world has not broken up
Into small fragments
by narrow domestic walls.
Where words come out
from the depth of truth.
Where tireless striving stretches
Its arms towards perfection.
Where the clear stream of reason
Hasn’t lost its way,
Into dreary, desert sand of dead habit.
Where the mind is led forward by Thee
Into ever-widening thought and action.
Into that heaven of freedom, O, father!
Let my country awake.
– Ravindranath Tagore
ભારતને આઝાદ થયે સાઠ વર્ષ પુરા થશે.
આમાંની કેટલી આઝાદી દેશવાસીઓ પામ્યા?
Permalink