ક્યાંથી લાવીએ ? – સંજુ વાળા
તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ ?
અથવા તો સહૃદયીના જેવી તાન ક્યાંથી લાવીએ ?
ભીતરથી આરંભાઈ ‘ને પહોંચાડે પાછાં ભીતરે,
અનહદ અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ ?
પોતે જ આવીએ, ને પોતે આવકારીએ વળી-
હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ ?
સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું,
ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ ?
ના, કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા,
એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ ?
ખીલા તો શું એકેય સાચું વેણ સહેવાતું નથી,
સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ ?
પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યાં,
કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ ?
-સંજુ વાળા
Rina said,
September 16, 2012 @ 4:39 AM
Awesome..
Monal said,
September 16, 2012 @ 2:33 PM
પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યાં,
કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ ?
Monal said,
September 16, 2012 @ 2:33 PM
પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યાં,
કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ ?
– વાહ !
સંજુ વાળા said,
September 17, 2012 @ 12:56 AM
આપનો આભાર
તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ ?
અથવા સહૃદયના જેવી તાન ક્યાંથી લાવીએ ?
આ શેરનો સાની મિસરા આમ વાંચવા વિનંતિ. ‘પરબ’માં છાપભૂલ રહી ગઈ છે.
“અથવા તો સહૃદયીના જેવી તાન ક્યાંથી લાવીએ ? “
Bharat Pandya said,
September 17, 2012 @ 1:30 AM
ભીતરથી આરંભાઈ ‘ને પહોંચાડે પાછાં ભીતરે,
અનહદ અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ ?
આ પ્રવાસ બહુ અઘરો છે.જે / જો ભીતરે પહોંચી ગયા તો બેડો પાર !
પોતે જ આવીએ, ને પોતે આવકારીએ વળી-
હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ ?
પોતેજ પોતાને આવકારી શકીયે તેટલો જાત સાથે સખીભાવ કેળવી શકીયે તો પછી જગતની શી પરવા .મન મસ્ત હુવા ફીર ક્યું ડોલે !
વાહ સન્જુ, વાહ !
sweety said,
September 17, 2012 @ 3:15 AM
પોતે જ આવીએ, ને પોતે આવકારીએ વળી-
હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ ?
સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું,
ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ ?
બહુજ સરસ
naresh dodia said,
September 17, 2012 @ 6:30 AM
સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું,
ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ ?
ના, કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા,
એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ ?..વાહ
વિવેક said,
September 17, 2012 @ 9:07 AM
સંજુ વાળાની રચનાઓની આંખે ઊડીને વળગે એવી એક ખાસિયત એ છે કે એ જે પણ કંઈ લખે છે, અરુઢ જ હોવાનું… પ્રવાહની સાથે જ પ્રવાસ કરવો અને પોતાનું વહેણ અલગ જાળવી રાખવું એ જેવી તેવી સિદ્ધિ નથી…
સુંદર ગઝલ…
perpoto said,
September 17, 2012 @ 10:02 AM
શુન્યતામાં ક્યાં ક્શું લાવવાનું હોય છે…..
સંજુ વાળા said,
July 9, 2016 @ 2:50 AM
આભાર વિવેકજી
આભાર મિત્રો.
jaypee said,
September 15, 2016 @ 10:45 AM
Khub sundar.