કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
શેખાદમ આબુવાલા

કંઈક તો થાતું હશે… – રમેશ પારેખ

સ્પર્શ દઈ

પાણી વહી જાતું હશે

ત્યારે કંઈક

આ પત્થરોને કંઈક તો થાતું હશે…

રમેશ પારેખ

( ધવલનાં સહજ આમંત્રણને સ્વીકારી લયસ્તરોની યાત્રામાં આજથી પદાર્પણ કરી રહ્યો છું. ધવલ અમેરિકામાં અને હું ભારતમાં. એના શબ્દોમાં આ બ્લોગ હવે અંતર્રાષ્ટ્રીય જ નહીં, અંતરખંડીય (Not only international, but transcontinental) બની રહ્યો છે. રમેશ પારેખનાં એક સાવ જ નાનાં ઊર્મિકાવ્ય સાથે શરૂઆત કરૂં છું. મારા વાંચનનું આપ સૌ સાથે તાદાત્મ્ય સાધવાની મારી અને ધવલની આ સહિયારી કોશિશ પણ આપના સ્નેહને પાત્ર ઠરે એવી અંતરેચ્છા.

– વિવેક ટેલર ( શબ્દો છે શ્વાસ મારાં )

8 Comments »

  1. Jayshree said,

    July 12, 2006 @ 3:51 AM

    ‘લયસ્તરો’ પર આ તમારી પ્રથમ પોસ્ટ ઘણી જ સરસ છે. એક જ પંક્તિમાં કેવો ઉંડો ભાવ છે… ભલે લાગે કે પત્થર પર પાણી વહી જાય, અને પ્ત્થર કોરો ને કોરો… પરંતુ પાણી ના સ્પર્શના અનુભવથી પત્થર ને કંઇક તો થાતું જ હશે… અને એટલે જ તો સતત પડતી પાણીની ધાર એક પત્થરનો આકાર બદલી શકે છે.

  2. jignesh said,

    July 13, 2006 @ 8:45 AM

    બે અજાણ્યા હદય જયારે ભેગા થયા,
    મૌન માં થી વારતાલાપ નો જન્મ થયો,
    અક્ષર વગર ના શબ્દ નુ સરજન થયુ,
    બે જણ વચ્ચે પરિચય થયો,
    પ્રેમ એવી ઓળખાણ થઇ.

    I am trying write in gujarati.

  3. nikhil said,

    May 21, 2007 @ 11:55 AM

    mr. viveki am highly impress by ur work. actually u serve for gujarati sahitya. and i am looking for R.P. and u r fantastic. salute for u.

  4. લયસ્તરો » અનુભૂતિ - એષા દાદાવાલા said,

    February 8, 2008 @ 12:55 AM

    […] એષા દાદાવાલા બળકટ ઊર્મિસભર અછાંદસ કાવ્યો માટે જાણીતી છે. અહીં માત્ર છ જ લીટીઓમાં લખાયેલી એક જ વાકયની આ કવિતા વાંચતાની સાથે જ શું મંત્રમુગ્ધ નથી કરી દેતી? આવું મજાનું લઘુકાવ્ય વાંચીએ ત્યારે ર.પા.નું કંઈક તો થાતું હશે અને પ્રિયકાંત મણિયારનું જળાશય યાદ આવ્યા વિના રહે ખરું? […]

  5. nupur said,

    November 13, 2009 @ 6:54 AM

    its absolutely fantbulous.

  6. kanchankumari parmar said,

    November 15, 2009 @ 5:00 AM

    મહાવદેવ થઈ પ્રગ ટિયા તમારા સ્પ્રશ થિ…..

  7. K. N. Sheth said,

    February 9, 2016 @ 8:23 AM

    વિવેક ટેલર દ્વારા રમેશ પારેખ, સુન્દર સન્યોગ.

  8. PALASH SHAH said,

    April 12, 2020 @ 5:40 AM

    સાવ જ નાનાં ઊર્મિકાવ્ય માં ર. પા. ઘણું બધુ કહી જાય છે ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment