વૃક્ષની એ વેદના સાચી હતી,
જે ખરી’તી એ કૂંપળ કાચી હતી.
– રાહુલ શ્રીમાળી

હોય છે – એસ. એસ. રાહી

ભીંતમાં રસ્તા નીકળતા હોય છે,
આ અવસ્થા કઈ અવસ્થા હોય છે?

ખોટું સાચું કઈ રીતે નક્કી થશે?
સહુને પોતામાં જ શ્રદ્ધા હોય છે.

દોસ્તોમાંથી ઘણું મળશે તને,
દુશ્મનોનાં ઘાવ અમથા હોય છે.

આપણે કયાં કઈ કરી શકીએ છીએ?
જાતની સામે જ મ્હોરાં હોય છે.

આભ જેવું આભ કાં ઓછું પડે?
પંખીને શેની સમસ્યા હોય છે?

– એસ. એસ. રાહી

ભીંત એટલે શક્યતાઓનું આખરી નાકું. ડેડએન્ડ. પણ જીવનમાં ક્યારેક એવી અવસ્થા પણ આવે છે, જ્યારે અંતમાંથી જ પ્રારંભ કરતા શીખી જાય છે. દીવાલ ફાડીને દરવાજો નહીં, મારગ બનાવી શકે એને કોઈ ક્યાંય રોકી શકતું નથી. ભીંતમાંથી રસ્તો નીકળવો શરૂ થાય એ અવસ્થા કઈ અવસ્થા હોય છે એવો દેખીતો સવાલ કવિ આપણને કરે છે. ખરેખર તો આ સવાલ તો કેવળ બાહ્યાવરણ છે. સવાલની આડમાં છૂપાઈને હકીકતમાં કવિ આપણને ભીંતમાંથી રસ્તો કાઢતા શીખવા માટે આહ્વાન આપે છે. આ પડકાર સ્વીકારવા આપણે તૈયાર છીએ ને?

8 Comments »

  1. Varij Luhar said,

    April 14, 2024 @ 12:07 PM

    વાહ

  2. સુનીલ શાહ said,

    April 14, 2024 @ 12:18 PM

    ખૂબ સરસ.. વાહ

  3. બાબુ સંગાડા said,

    April 14, 2024 @ 12:23 PM

    વાહ

  4. Susham Pol said,

    April 14, 2024 @ 12:24 PM

    વાહ ખૂબ સરસ રચના

  5. રાજેશ હિંગુ said,

    April 15, 2024 @ 9:45 AM

    સરસ ગઝલ

  6. Mita mewada said,

    April 15, 2024 @ 12:15 PM

    અપ્રતિમ

  7. Mita mewada said,

    April 15, 2024 @ 12:16 PM

    વાહ

  8. પીયૂષ ભટ્ટ said,

    April 15, 2024 @ 1:18 PM

    વાહ, બહુ જ સુંદર મજાની ગઝલ.
    ભીંત ફાડીને રસ્તા કરવા એ સાહસનું કાર્ય છે. અને તેની પણ એક અવસ્થા હોય, અલગારી ક્ષણ હોય. આવી કોઈક વિરલ ક્ષણે આવો પડકાર સંવેદન શીલ કવિ જ ઝીલી શકે.
    પ્રત્યેક શેર લાજવાબ.
    રાહી સાહેબની કલમને અને વિવેકભાઈ નાં આસ્વાદ ને સલામ.

    પીયૂષ પ્રેમ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment