જ્યાં ઊભો હોઉં ત્યાં બરાબર છું
મૂકવું ક્યાં સ્વમાન જોખમમાં !
ભરત વિંઝુડા

अर्ध सत्य – दिलीप चित्रे

चक्रव्यूह में घुसने से पहले
कौन था मैं और कैसा था
ये मुझे याद ही ना रहेगा
चक्रव्यूह में घुसने के बाद
मेरे और चक्रव्यूह के बीच
सिर्फ एक जानलेवा निकटता थी
इसका मुझे पता ही ना चलेगा
चक्रव्यूह से निकलने के बाद
मैं मुक्त हो जाऊं भले ही
फिर भी चक्रव्यूह की रचना में
फर्क ही ना पड़ेगा
मरूं या मारूं
मारा जाऊं या जान से मार दूं
इसका फैसला कभी ना हो पायेगा
सोया हुआ आदमी जब
नींद से उठकर चलना शुरू करता है
तब सपनो का संसार उसे
दोबारा दिख ही ना पायेगा
उस रोशनी में जो निर्णय की रोशनी है
सब कुछ समान होगा क्या
एक पलड़े में नपुंसकता
एक पलड़े में पौरूष
और ठीक तराजू के कांटे में
अर्ध सत्य.

– दिलीप चित्रे

1983માં આવેલી ફિલ્મ અર્ધસત્યની આ સારરૂપ કવિતા છે, ફિલ્મમાં ઓમ પુરી એનું પઠન પણ કરે છે.

મને ગુજરાતી કાવ્ય સામે આ ગંભીર ફરિયાદ છે – ગુજરાતી કાવ્ય રાજકીય/સામાજિક વિષમતાઓને લગભગ લગભગ સદંતર અવગણે જ છે – જાણે કે એ કોઈ કાવ્યવસ્તુ હોઈ જ ન શકે !! આંગળીના વેઢે પણ નહીં – આંગળીઓએ પણ માંડ ગણાય એટલી રાજકીય/સામાજિક પ્રશ્નોને ઉઠાવતી મજબૂત કવિતા ગુજરાતીમાં સાંપડે !!! ખબર નહીં કેમ આ વિષય-દરિદ્રતા ગુજરાતી કાવ્યને આભડી ગઈ છે…..

કાવ્ય મર્મભેદી છે – આપણે સહુએ શાળા/કૉલેજ છોડીને વ્યવહારુ દુનિયામાં પગ મૂકતાં આ અનુભવેલી જ વાત છે – સાચું શું તે સાથે વ્યવહારુ દુનિયાને ખાસ કોઈ મતલબ નથી, ભૌતિક સફળતા એક જ પારાશીશી હોય છે. સત્યના માર્ગે ચાલવાનું નક્કી કરનાર ક્યાંતો સમય સાથે માર્ગ-વિચલિત થઈને સિસ્ટમમાં વેચાઈ જાય છે, ક્યાંતો ફ્રસ્ટ્રેશનના કળણમાં ખૂંપતો જ જાય છે. ઘણીવાર તો સત્ય શું છે તે પણ નથી સમજાતું એ હદે સત્ય-અસત્યની ભયાનક ભેળસેળ કરી દેવામાં આવતી હોય છે ! સત્યના માર્ગે ચાલવું તો છે પણ સત્યનો માર્ગ કયો ???? કોઈ માર્ગદર્શન પણ હાથવગું હોતું નથી. Greatest good of the greatest number – એ સાચું કે પછી સત્યના માર્ગે ચાલતી વ્યક્તિમાત્રનું હિત સર્વોપરી ?? આવા આવા અસંખ્ય જટિલ મૂંઝવતા પ્રશ્નો સત્ય-માર્ગીએ હલ કરવા રહ્યા. વળી જો એ બિચારો પોતાના જજમેન્ટમાં ભૂલ કરી બેસે તો આજીવન એનો પરિતાપ ભોગવવો રહ્યો ! જમીનથી ચાર આંગળ અધ્ધર ચાલતો યુધિષ્ઠિરનો રથ એક ઝાટકે જમીનસરસો થઈ જાય….જીવનભરની તપશ્ચ્રયા નિરથર્ક નીવડી જાય….

કેટલોક ભાર એક માનવ વેંઢરે !! મોટેભાગે ત્રાસીને સિસ્ટમમાં વેચાઈ જાય – આત્મા ગીરવે મૂકી દે…કોઈક વિરલા માર્ગચ્યુત ન પણ થાય – ફના થઇ જાય જાતે અને ફના કરી દે પોતાના નિકટતમ સ્નેહીઓને પણ – પરંતુ સિસ્ટમ સામે ઝૂકે નહીં… સલામ છે એવા વિરલ યોદ્ધાઓને…..

3 Comments »

  1. pragnajuvyas said,

    November 24, 2021 @ 9:31 AM

    दिलीप चित्रे कवि हैं. करीब आठ साल पहले गुजर चुके हैं, लेकिन कवि तो हमेशा रहेंगे. उनकी कविताओं ने जो मारक खेला रचाया है, आनंद देता है. मराठी थे. बड़ौदा में पैदा हुए थे. फिर 1951 में परिवार के साथ मुंबई चले आए. 60 के दशक में जो मुंबई की फेमस मैग्जीन थी ‘लिटिल मैग्जीन मूवमेंट’, उसके प्रभाव में इनकी भी हिस्सेदारी थी. मराठी और इंग्लिश, दोनों भाषाओं में कविताएं लिखीं. 1960 में एक कविता-संकलन भी प्रकाशित हुआ.

    और ठीक तराजू के कांटे में
    अर्ध सत्य
    बहुत खूब
    यह समाज का पैमाना है। उसके साथ कुछ भी गलत नहीं है। यह व्यवस्था पूरी तरह चरमरा गई है। नपुंसक व्यवस्था से इंसानियत की मौत के बाद भी खाकी के नीचे अपनी मर्दानगी दिखाने वाले एक पुलिस अफसर का शव अर्धसत्य के पर्दे पर आज भी नजर आता है. सदाशिव अमरपुरकर की रमा शेट्टी इस नकारात्मक व्यवस्था का प्रतिनिधित्व करती हैं

  2. praheladbhai prajapati said,

    November 24, 2021 @ 7:36 PM

    very nice

  3. વિવેક said,

    November 25, 2021 @ 12:57 AM

    આ કવિતાનો બહુ સરસ અનુવાદ અને એથીય ઉમદા આસ્વાદ ધવલે લયસ્તરો પર લગભગ દસેક વર્ષ પહેલાં કરાવ્યો હતો એ પણ આ સાથે જોવા જેવો છે –

    અર્ધસત્ય – દિલીપ ચિત્રે (અનુ. ધવલ શાહ)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment