આ દર્દ મહોબ્બતનું જે હરગીઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.
મરીઝ

અપરાજેય – વિલિયમ અર્નેસ્ટ હેન્લી (અનુ. વિવેક મનહર ટેલર)

મને આવરે છે જે આ છેડાથી લઈ પેલા છેડા લગ
ફેલાયેલા ખાડા જેવા અંધારેથી કાળી રાતના,
આભારી છું હું તેઓનો જે કોઈ પણ હશે દેવગણ,
બહાર આણવા મને ને દેવા માટે આવો અજેય આત્મા.

ભલે ફસાયો હોઉં સંજોગોની કાતિલ નાગચૂડમાં
નથી કરી મેં પીછેહઠ કે નથી કર્યું મેં જરા આક્રંદ.
દૈવયોગનો ગદામાર વેઠી વેઠી મારું માથું આ
રક્તરંજિત ભલે થયું હો, ઉન્નત એ રહ્યું છે કાયમ.

ક્રોધ અને આંસુઓથી ભર્યા-ભર્યા આ સ્થળથી દૂર
કાંઈ નહીં, લળુંબે છે બસ, કેવળ ઓછાયાનો ભય,
અને છતાંયે આવનારા એ વર્ષોનો કેર તુમુલ,
મને શોધશે અને પામશે હરહંમેશ મને નિર્ભય.

નથી અર્થ કો એનો કે છે સાંકડો કેટલો દરવાજો,
કે છે ખાતાવહીયે ત્યાંની કેવી સજાઓથી ભરેલ,
હા હા, હું છું એકમાત્ર જ સ્વામી મારા ભાગ્ય તણો,
હા હા, આ મારા આત્માનો હું જ સુકાની, હું ટંડેલ.

– વિલિયમ અર્નેસ્ટ હેન્લી
(અનુ. વિવેક મનહર ટેલર)

શું એક કવિતા, એક પ્રવચન, એક પુસ્તક સીધાસાદા માણસની આખેઆખી જિંદગી બદલી નાંખી શકે ખરી? શું એક કવિતા માનવને મહામાનવ અને નાયકને મહાનાયક બનવાનું પ્રેરક્બળ પૂરું પાડી શકે ખરી? શું કલમમાં સાચે જ આવી તાકાત હોઈ શકે? ‘અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તકની મહાત્મા ગાંધીના જીવન પર થયેલી અસર વિશે તો આપણે જાણીએ જ છીએ… આજે ઇંગ્લિશ કવિ વિલિયમ અર્નેસ્ટ હેન્લી ની કલમે એક સાવ નાની અમથી કવિતાએ નેલ્સન મન્ડેલાના જીવનમાં શો ભાગ ભજવ્યો એ જોઈએ…

પ્રસ્તુત રચનાની વિશદ છણાવટ આપ મારી ફેસબુક વૉલ ઉપર આવીને માણી શકો છો….

Invictus

Out of the night that covers me,
Black as the Pit from pole to pole,
I thank whatever gods may be
For my unconquerable soul.

In the fell clutch of circumstance
I have not winced nor cried aloud.
Under the bludgeonings of chance
My head is bloody, but unbowed.

Beyond this place of wrath and tears
Looms but the Horror of the shade,
And yet the menace of the years
Finds and shall find me unafraid.

It matters not how strait the gate,
How charged with punishments the scroll,
I am the master of my fate,
I am the captain of my soul.

– William Ernest Henley

Leave a Comment