નકી પંડિતાઈનું મડદું હશે અહીં,
નહીં તો દલીલોની બદબો ન આવે.
મકરંદ દવે

નીકળે – મનીષ પરમાર

કેટલા જનમોજૂના થર નીકળે !
એક ટીંબો ખોદતાં ઘર નીકળે.

રેશમી પીંછું દટાયું મોરનું –
ધૂળમાં ટૌકાનું અંબર નીકળે.

વીરડો ગાળ્યા પછી એવું બને,
બુદબુદામાંથી સરોવર નીકળે.

આંસુનો હિસાબ પૂરો થાય ક્યાં ?
લેણું એનું જિંદગીભર નીકળે.

ચાસમાં ફરકી હશે લીલોતરી-
ખેડવા જાતાં જ ખેતર નીકળે.

-મનીષ પરમાર

5 Comments »

  1. pragnajuvyas said,

    December 1, 2007 @ 11:01 AM

    સુંદર ગઝલ
    તેમાં
    રેશમી પીંછું દટાયું મોરનું –
    ધૂળમાં ટૌકાનું અંબર નીકળે.
    આંસુનો હિસાબ પૂરો થાય ક્યાં ?
    લેણું એનું જિંદગીભર નીકળે.
    વધુ ગમ્યાં
    બે શેરો યાદ આવ્યાં
    કદી મારા જિગરમાં એ રીતે ના આવશો કોઇ,
    તમે જ્યાં છાપ પાડી હોય ત્યાં મારા જખમ નીકળે.
    પ્રણયને પાપ કહેનારા, થશે તારી દશા કેવી?
    કદાચ અલ્લાહને ત્યાં એ જ જો દિલનો ધરમ નીકળે?

  2. hemantpunekar said,

    December 2, 2007 @ 9:08 AM

    સુન્દર ગઝલ!

  3. ધવલ said,

    December 2, 2007 @ 9:56 AM

    રેશમી પીંછું દટાયું મોરનું –
    ધૂળમાં ટૌકાનું અંબર નીકળે.

    વીરડો ગાળ્યા પછી એવું બને,
    બુદબુદામાંથી સરોવર નીકળે.

    – સુંદર ગઝલ !

  4. ભાવના શુક્લ said,

    December 3, 2007 @ 3:42 PM

    ધૂળમાં ટૌકાનું અંબર નીકળે
    ………………………………
    સુંદર!!!

  5. manvantpatel said,

    December 5, 2007 @ 12:30 AM

    ખૂબ સુઁદર રચના !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment