દદડે દસ – દસ ધારથી રસ નીતરતું વ્હેણ
ઝીલો તો જળધાર બને લખીએ તો લાખેણ.
– સંજુ વાળા

યુદ્ધ છું – વિનોદ ગાંધી

બંધ આંખોથી હતો સિદ્ધાર્થ હું,
આંખ ખોલી તો હવે બુદ્ધ છું.

હું નથી અર્જુન, ગીતાનો કૃષ્ણ પણ
જે સતત ચાલે અહીં તે યુદ્ધ છું.

મોતની વિકરાળ હરદમ બીકથી,
જિંદગીથી કેટલો હું  કૃદ્ધ છું.

આ અણુયુગમાં જૂનાનું શું ગજું?
એ જ આદમ છું,  હવે હું  વૃદ્ધ  છું.

– વિનોદ ગાંધી

અલગ જાતના વિચાર લઈને આવેલી ગઝલ. બીજો શેર ખાસ સરસ થયો છે. કવિને કહે છે કે હું અર્જુન (એટલે કે યુદ્ધ કરવાથી કચવાતો = કર્મી ) કે કૃષ્ણ ( યુદ્ધની અનિવાર્યતા જાણનારો = જ્ઞાની)  નથી, હું તો સ્વયં યુદ્ધ જ છું. હું જ પોતે સકળ ઘટના છું, હું કાંઈ પ્રેક્ષક નથી. આ વાત બહુ બખૂબી પકડાઈ છે.

7 Comments »

  1. વિવેક said,

    August 8, 2007 @ 2:53 AM

    સુંદર રચના…

  2. પંચમ શુક્લ said,

    August 8, 2007 @ 5:39 AM

    કાવ્ય ગમી ગયું.

    હું નથી અર્જુન, ગીતાનો કૃષ્ણ પણ
    જે સતત ચાલે અહીં તે યુદ્ધ છું.

    ખરેખર આ પંક્તિ સરસ છે.

  3. ઊર્મિ said,

    August 8, 2007 @ 1:51 PM

    ચારેય શેરો લાજવાબ…

  4. shaileshpandya BHINASH said,

    August 12, 2007 @ 4:55 AM

    kya bat hai…………………..

  5. Viral said,

    August 13, 2007 @ 9:23 AM

    હું નથી અર્જુન, ગીતાનો કૃષ્ણ પણ
    જે સતત ચાલે અહીં તે યુદ્ધ છું.

    – ખુબ સરસ

  6. shaileshpandya BHINASH said,

    February 28, 2008 @ 6:08 AM

    good

  7. Pinki said,

    February 28, 2008 @ 10:15 AM

    બંધ આંખોથી હતો સિદ્ધાર્થ હું,
    આંખ ખોલી તો હવે બુદ્ધ છું.

    આંખ ખૂલી જાય એવો શેર…/

    હું નથી અર્જુન, ગીતાનો કૃષ્ણ પણ
    જે સતત ચાલે અહીં તે યુદ્ધ છું.

    તદ્.ન ખરી વાત…… આ જીવતા-જાગતા
    સમરાંગણને કેમ નાથવો ??

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment