કેવી રીતે કહું કે તમે ખાસ કેટલાં?
આવ્યાં કરો છો યાદ અનાયાસ કેટલાં!

બારી ખૂલી સહેજ અને બંધ થઈ ગઈ,
કાઢી રહ્યા છે લોક હવે ક્યાસ કેટલા!
શૈલેશ ગઢવી

વિના આવીશ મા ! -શેખાદમ આબુવાલા

જા   ભલે   અંધારઘેર્યા   આભમાં,
તેજની જ્યોતિ વિના આવીશ મા;
ડૂબવું   જો   હોય   દિલમાં   ડૂબજે,
પણ પછી મોતી વિના આવીશ મા.

-શેખાદમ આબુવાલા
‘ચાંદની’

Leave a Comment