‘મનહર’, હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.
મનહરલાલ ચોક્સી

વિરહના ત્રણ શેર

રાત મેં એક વિતાવી હતી ખાલી ઘરમાં
ખૂણે ખૂણાના પ્રસંગો મને ભરપૂર મળ્યા
-સૈફ પાલનપુરી

તારાં સ્મરણો ભીની ખુશ્બો
મારું અંતર બળતો ધૂપ.
-ઘાયલ

તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી
એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો.
-હરીન્દ્ર દવે

2 Comments »

  1. TAQDEER.786 said,

    March 31, 2007 @ 6:54 AM

    અસ્સ્લામ્……
    ઘણૂ સરસ……!!

  2. bansi patel said,

    March 8, 2011 @ 9:45 AM

    વાહ બહુ સુન્દર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment