ટ્રેન તમને ઉતારવા અહીંયાં
ને મને અહીંથી લઈ જવા આવી
ભરત વિંઝુડા

જિવાડી શકે નહીં – કિસન સોસા

આ ‘જીવતું શહેર’ જિવાડી શકે નહીં;
જિજીવિષાને ઘૂંટ પીવાડી શકે નહીં.

ખામોશી ઓઢી સૂતું ઠંડુંગાર ‘માર્ગ’માં;
એને કશો જ દાહ દઝાડી શકે નહીં.

જાહેરમાં સરાહતું, ખૂણે વખોડતું;
ચહેરેથી મુખવટા એ ઉખેડી શકે નહીં.

છે છીછરી તરસ, ક્ષુધા… સ્વપ્નો… છે સાંકડા;
ખુદને સમષ્ટિમાં એ જગાડી શકે નહીં.

વાળી લે લાગણીની નદી દૂર દૂરથી;
મિલાવો હાથ, હૈયે લગાડી શકે નહીં.

માણસનું ખોળિયું ઠઠાડી નીકળે ભલે,
માણસપણાનો શબ્દ ઉપાડી શકે નહીં.

– કિસન સોસા

કવિ મારા શહેરના – એટલે કે સુરતના રહેવાસી છે. એમના પોતાના શબ્દોમાં ‘આ ગઝલ એવા વરવા વાસ્તવના દૂઝતા જખ્મો વચ્ચે પ્રગટી છે. કકળતી… કાળઝાળ…’

1 Comment »

  1. pragnaju said,

    June 5, 2008 @ 8:21 AM

    સાચે જ વાસ્તવના દૂઝતા જખ્મોની ગઝલ!
    માણસનું ખોળિયું ઠઠાડી નીકળે ભલે,
    માણસપણાનો શબ્દ ઉપાડી શકે નહીં.
    જીવનમાં સૌએ કોઈકવાર તો અનુભવેલી અભિવ્યક્તી…
    અંકિત કહે તેમ-
    પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
    ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment