અમે પણ તને માનશું ઉમ્રભર,
કદી તું ય સાકાર થૈ વાત કર !
સુધીર પટેલ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિલિયમ વર્ડ્સવર્થ

વિલિયમ વર્ડ્સવર્થ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મારું હૃદય ઊછળી પડે છે – વિલિયમ વર્ડ્ઝવર્થ (અનુ. વિવેક મનહર ટેલર)

મારું હૃદય ઊછળી પડે છે જ્યારે હું જોઉં છું
આકાશમાં એક ઇન્દ્રધનુષ :
એમ જ હતું મારું જીવન શરૂ થયું ત્યારે પણ,
એમ જ છે જ્યારે હું હાલ પુરુષ છું:
એમ જ રહે જ્યારે હું ઘરડો થાઉં ત્યારે,
કે મરી જાઉં તો પણ !
બાળક એ પુરુષનો પિતા છે;
અને હું ઇચ્છું છું કે મારા દિવસો
સંપૃક્ત રહે એક-મેક સાથે કુદરતી ધર્મનિષ્ઠાથી.

-વિલિયમ વર્ડ્ઝવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

નાનપણમાં મેઘધનુષ્યને જોઈને હૃદય જે રીતે હર્ષવિભોર બની જતું એ જ રીતે પુખ્તવયે પણ અનુભવાતું જોઈ કવિ ઇચ્છે છે કે આ આનંદની છોળ ઘડપણ સુધી, ના, ના ! મૃત્યુપર્યંત આમ જ અનુભવાતી રહે.

The Child is father of the Man – આ વિધાન વિશ્વના સહુથી વધુુ quote થયેલ વિધાનોમાંનું એક છે. બાળક એ પુરુષનો પિતા છે એવું અવળું વિધાન કરી કવિ કહે છે કે બાળપણના સંસ્કરણો જ મોટપણને આકાર આપે છે. અને એ નાતે બાળક જ માણસનો પિતા છે.

માત્ર નવ લીટીની આ નાનકી કવિતા ઉઘાડવાની ખરી ચાવી આ વિધાન ઉપરાંત natural piety શબ્દપ્રયોગમાં છે. આમ એનો અર્થ કુદરતી ધર્મનિષ્ઠા થાય છે પણ અહીં પૈતૃકસંબંધની વાત હોવાનું ફલિત થાય છે… પણ એનો અનુવાદ શો કરવો?

*

MY heart leaps up when I behold
A rainbow in the sky:
So was it when my life began,
So is it now I am a man,
So be it when I shall grow old
Or let me die!
The Child is father of the Man:
And I could wish my days to be
Bound each to each by natural piety

– William Wordsworth

Comments (4)

તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે – વિલિયમ વર્ડ્સવર્થ (અનુ. વિવેક મનહર ટેલર)

તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે
હિમાલયના ઝરણાંઓની પાસે.
એક નોકરાણી જેને વખાણનારું ત્યાં કોઈ નહોતું
અને ચાહનારું તો જવલ્લે જ.

શેવાળિયા પથ્થર તળેનું એક જાંબુડી ફૂલ
આંખોથી અડધું ઓઝલ !
– તારા જેવું શુભ્ર, જ્યારે એક જ
ચમકતો હોય આકાશમાં.
એ ગુમનામ જ જીવી, અને બહુ ઓછાં જાણી શક્યાં
કે લ્યુસી ક્યારે હયાત ન રહી;
પણ એ એની કબરમાં છે, અને, આહ
મને પડેલો ફરક !

-વિલિયમ વર્ડ્સવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ગુજરાતી સાહિત્યમાં જેમ રમેશ પારેખની ‘સોનલ’, આસિમ રાંદેરીની ‘લીલા’, એમ અંગ્રેજી સાહિત્યમાં વર્ડ્સવર્થની ‘લ્યુસી’… લ્યુસી કોઈ જીવિત વ્યક્તિ હતી કે કાલ્પનિક, એ આપણી કલ્પનાનો વિષય છે. વર્ડ્સવર્થે લ્યુસી ઉપર કુલ માત્ર પાંચ જ કાવ્યો લખ્યાં છે પણ આ કાવ્યોએ ખૂબ વિશદ ચર્ચા જગાવી છે.

એક લગભગ ગુમનામ નોકરાણી જે અકાળે અવસાન પામી એના ન હોવાથી દુનિયાને શો ફરક પડે ? શેવાળછાયા પથ્થરો તળે જેમ નાનકડું રંગીન ફૂલ ઢંકાઈ જાય એમ દુનિયાની ઉપાધિઓ તળે આ છોકરીનું અસ્તિત્વ લગભગ વણપ્રીછ્યું જ રહ્યું. એના ન હોવાથી કવિને જે ફરક પડ્યો એ જ કદાચ એના આખાય જીવતરનું સાર્થક્ય !

આ કવિતા વિશે વિષદ ચર્ચા આપ અહીં માણી શકો છો.

*

She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love.

A violet by a mosy stone
Half hidden from the eye!
– Fair as a star, when only one
Is shining in the sky.
She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!

– William Wordsworth

Comments (11)