આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !
-સુરેશ દલાલ

प्रश्न अभिव्यक्ति का है…..- दुष्यंत कुमार

प्रश्न अभिव्यक्ति का है,
मित्र!
किसी मर्मस्पर्शी शब्द से
या क्रिया से,
मेरे भावों, अभावों को भेदो
प्रेरणा दो!

यह जो नीला
ज़हरीला घुँआ भीतर उठ रहा है,
यह जो जैसे मेरी आत्मा का गला घुट रहा है,
यह जो सद्य-जात शिशु सा
कुछ छटपटा रहा है,
यह क्या है?
क्या है मित्र,
मेरे भीतर झाँककर देखो।
छेदो! मर्यादा की इस लौह-चादर को,
मुझे ढँक बैठी जो,
उठने मुस्कराने नहीं देती,
दुनियाँ में आने नहीं देती।

मैं जो समुद्र-सा
सैकड़ों सीपियों को छिपाए बैठा हूँ,
सैकड़ों लाल मोती खपाए बैठा हुँ,
कितना विवश हूँ!
मित्र, मेरे हृदय का यह मंथन
यह सुरों और असुरों का द्वन्द्व
कब चुकेगा?
कब जागेगी शंकर की गरल पान करने वाली करुणा?
कब मुझे हक़ मिलेगा
इस मंथन के फल को प्रगट करने का?

मूक!
असहाय!!
अभिव्यक्ति हीन!!
मैं जो कवि हूँ,
भावों-अभावों के पाटों में पड़ा हुआ
एकाकी दाने-सा
कब तक जीता रहूँगा?
कब तक कमरे के बाहर पड़े हुए गर्दख़ोरे-सा
जीवन का यह क्रम चलेगा?
कब तक ज़िंगदी की गर्द पीता रहूँगा?

प्रश्न अभिव्यक्ति का है मित्र!
ऐसा करो कुछ
जो मेरे मन में कुलबुलाता है
बाहर आ जाए!
भीतर शांति छा जाए!

– दुष्यंत कुमार

સર્જકની આંતરવ્યથા, સર્જનશીલ વ્યક્તિનું મનોમંથન ઉપરોક્ત કવિતામાં સબળ રીતે રજૂ થયાં છે. નવજાત શિશુ જેવું, તાજી કૂંપળ જેવું સર્જન કવિની ભીતર સળવળી રહ્યું છે પણ એની ઉપર કવિની પોતાની મર્યાદાઓ, દુનિયાએ સર્જેલા માપદંડથી જન્મતી મર્યાદાઓ જાણે કે એક લોહની વજનદાર ચાદર બનીને કવિની સર્જનશીલતાને રૂંધતી પડી છે. કવિ પોતાના મિત્રને વિનંતી કરે છે, અહીં મિત્ર એ ભાવક પણ હોઈ શકે, સહ્રદયી વ્યક્તિ હોઈ શકે અથવા કોઈ મર્મસ્પર્શી ઘટના કે પ્રસંગ જે કવિના અંતરાત્માને ઢંઢોળીને અંદર ગૂંગળાઈ રહેલી રચનાને અભિવ્યક્ત કરે. આપણી આસપાસની દુનિયામાં ઘટી રહેલી ઘટનાઓ સર્જકના ભાવજગત પર જુદી રીતે અસર કરતી હોય છે. સત્ય અને અસત્ય, ભલાઈ અને બુરાઇ ની જંગમાં સર્જક કોઈ એકનો પક્ષ લેવાને બદલે એ બંને થી પર થઈ હળાહળ કંઠે ધારણ કરનાર શિવની કરૂણા ધરાવવામાં પોતાની સાર્થકતા ઝંખે છે.
એક મહાન સર્જક એક વિશાળ સાગર જેવો છે જેના પેટાળમાં અનેક કિંમતી રત્નો અને અમૂલ્ય મોતીઓ રૂપી વિચારોનો, સર્જનોનો ખજાનો વણખેડાયેલ, વ્યક્ત થયા વિનાનો પડ્યો છે એને જરૂર છે અભિવ્યક્તિની.

 

– નેહલ

 

સૌજન્ય – ડૉ. નેહલ વૈદ્ય [ inmymindinmyheart.com ]

2 Comments »

  1. Dharmesh said,

    August 28, 2019 @ 4:15 AM

    વાહ.. અદ્ભુત

  2. Pravin Shah said,

    August 28, 2019 @ 6:44 AM

    વાહ ! ખૂબ સરસ !
    નેહાબહેનના રસાસ્વાદથી ઓર મઝા આવી ગઈ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment