સાવ ઓરડે એકલવાયો છબી મૌનની દોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું
– અનિલ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મહેમૂદ દરવીશ

મહેમૂદ દરવીશ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




હત્યા – મહેમૂદ દરવીશ (અનુ: વિવેક મનહર ટેલર)

વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે:
તેઓ એક ચોક્કસ કવિતા
એક ચોક્કસ રૂપક ઇચ્છે છે
અને જો હું આડમાર્ગે ભટકી જાઉં
તો તેઓ કહે છે: ‘એણે રસ્તા સાથે દગો કર્યો છે’
અને જો હું ઘાસમાં વાગ્મિતા શોધી લઉં
તો તેઓ કહે છે: ‘એણે ઓક વૃક્ષની સ્થિરતાનો ત્યાગ કર્યો છે’
અને જો હું વસંતમાં ગુલાબને પીળું જોઉં
તો તેઓ પૂછે છે: ‘આની પાંદડીઓમાં માતૃભૂમિનું લોહી ક્યાં છે?’
અને જો હું લખું કે: ‘પતંગિયું છે મારી સૌથી નાની બહેન
બગીચાના દરવાજા પર’
તો તેઓ સૂપના ચમચાથી અર્થને હલાવે છે
અને જો હું ગણગણું કે: ‘મા તો મા જ છે, જ્યારે તેણી તેના બાળકને ગુમાવે છે
ત્યારે તેણી લાકડીની જેમ કરમાઈને સૂકાઈ જાય છે’
તેઓ કહે છે: ‘એ તો ખુશીથી ઝૂમે છે અને બાળકની અંતિમક્રિયામાં નાચે છે
કારણ કે એની અંતિમક્રિયા એના લગ્ન છે’

અને જો હું વણદેખ્યું જોવા માટે
આકાશ તરફ ઊંચે જોઉં છું
તો તેઓ કહે છે: ‘કવિતા પોતાના ઉદ્દેશ્યોથી બહુ દૂર ભટકી ગઈ છે’
વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે
અને હું એમના વાંચવામાંથી છટકી જાઉં છું
અને એમની ગેરસમજણ બદલ એમનો આભાર માનું છું
પછી મારી નવી કવિતાની શોધ કરું છું.

– મહેમૂદ દરવીશ
(અનુ: વિવેક મનહર ટેલર)

‘તમતમારે કવિતાનો આનંદ લો ને, અર્થની પળોજણમાં શીદ પડો છો?’ –ક્યારેક આવો ઉદગાર કોઈ દુર્બોધ કવિને એની રચના વિશે સવાલ કરીએ તો જવાબમાં સાંપદતો હોય છે… વાત ખોટી નથી. કવિતાનો વિશુદ્ધ આનંદ પિષ્ટપેષણ કર્યા વિના એમાંથી પસાર થવામાં કદાચ રહેલો છે. પણ કવિતા નામનો કોયડો કદાચ દુનિયામાં સૌથી જટિલ કોયડો હશે. કવિતામાં કવિએ પ્રયોજેલ શબ્દપ્રયોગો, રૂપકો અને સંદર્ભોનો અર્થ પૂરેપૂરો સમજાય નહીં તો પૂર્ણ કાવ્યાનંદ પ્રાપ્ત પણ થતો નથી… ગમે કે ન ગમે, પણ કાવ્યવિવેચન અને કાવ્ય પરાપૂર્વથી કાયા-પડછાયાની જેમ અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. પ્રસ્તુત રચનાનો વિશદ આસ્વાદ માણવા માટે અહીં ક્લિક કરવા અનુરોધ છે.

Assassination

The critics kill me sometimes:
they want a particular poem
a particular metaphor
and if I stray up a side road
they say: ‘He has betrayed the road’
And if I find eloquence in grass
they say: ‘He has abandoned the steadfastness of the holm oak’
And if I see the rose in spring as yellow
they ask: ‘Where is the blood of the homeland in its petals?’
And if I write: ‘It is the butterfly my youngest sister
at the garden door’
they stir the meaning with a soup spoon
And if I whisper: ‘A mother is a mother, when she loses her child
she withers and dries up like a stick’
they say: ‘She trills with joy and dances at his funeral
for his funeral is his wedding’

And if I look up at the sky to see
the unseen
they say: ‘Poetry has strayed far from its objectives’
The critics kill me sometimes
and I escape from their reading
and thank them for their misunderstanding
then search for my new poem.

– Mahmoud Darwish (Arabic)
(English Trans: Catherine Cobham)

Comments (5)

ઝડપભેર વીતી જતી વસંત – મહેમૂદ દરવીશ (અરબી) (અનુ.: વિવેક મનહર ટેલર)

‘વસંત બહુ ઝડપભેર પસાર થઈ ગઈ
મનમાંથી ઊડી ગયેલા
વિચારની જેમ’
ચિંતાતુર કવિએ કહ્યું

શરૂઆતમાં, એના લયથી એ ખુશ થયો
એટલે એ એક-એક પંક્તિ કરતોક આગળ વધ્યો
એ આશામાં કે સ્વરૂપ સ્વયં પ્રગટ થશે

એણે કહ્યું, ‘અલગ પ્રકારની તૂકબંદી
મને ગાવામાં મદદ કરશે
જેથી કરીને મારું હૃદય શાંત રહે અને ક્ષિતિજ સાફ’

વસંત અમારી પાસેથી પસાર થઈ ગઈ છે.
એણે કોઈની રાહ જોઈ નહીં
ન તો ભરવાડની આંકડીએ અમારા માટે રાહ જોઈ
ન તો તુલસીએ

એણે ગાયું, અને કોઈ અર્થ ન મળ્યો
અને હર્ષવિભોર થઈ ગયો
એવા ગીતના લયથી જે પોતાનો માર્ગ ભૂલી ગયું હતું

એણે કહ્યું, ‘કદાચ અર્થનો જન્મ
સંયોગથી થયો છે
અને કદાચ આ બેચેની જ મારી વસંત છે.’

– મહેમૂદ દરવીશ (અરબી)
(અંગ્રેજી પરથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

ઝડપભેર પસાર થઈ જતી વસંતનું પ્રતીક લઈને પેલેસ્ટાઇની કવિ મહેમૂદ દરવીશ કાવ્યસર્જન અને કવિના આંતર્મનની એક પરત હળવેથી ખોલી આપે છે. કાવ્યસર્જનની પળે મનમાં ઝબકતા વીજળીના ચમકારા જેવા વિચારની મદદથી કવિતાનું મોતી પરોવી ન લેવાય તો કાગળ ઉપર કેવળ અંધકાર જ રેલાશે. સર્જનસમયે કોઈ પણ સર્જક આવ્યો વિચાર છટકી ન જાય એ બાબતે ચિંતાતુર અવશ્ય હોવાનો. પહેલી પંક્તિની માંડણી કવિને ખુશ કરે છે. જેમ જેમ કવિતા આગળ વધતી જાય તેમ તેમ કવિને આશા બંધાતી જાય છે કે કાવ્યસ્વરૂપ આપોઆપ પ્રગટ થશે. મનમાં આવેલ વિચાર સૉનેટમાં ઢળશે કે ગીત-ગઝલ-અછાંદસની વિધામાં પ્ર-ગતિ કરશે એવું કાવ્યલેખનના પ્રારંભે ઘણીવાર કવિમનમાં સ્પષ્ટ હોતું નથી. સમર્થ સર્જકના મનમાં ઉદભવેલા વિચાર સ્વયં કાવ્યાકાર નક્કી કરતા હોય છે. સર્જન સમયે અગાઉ ન ખેડેલી કેડી ઉપર ચાલનાર કવિને સંતોષ અને શાતા અપેક્ષિત હોય છે. સમય, ઋતુ અને વિચાર કોઈની પ્રતીક્ષા કરતાં નથી. માર્ગભૂલ્યું સ્વજન જડી આવે ત્યારે જે રીતે હર્ષવિભોર થઈ જવાય એ જ આનંદ સર્જન આપે છે. અર્થની કડાકૂટ વિવેચકો માટે, કવિને તો સર્જનના નિર્ભેળ આનંદ સાથે જ લેવાદેવા હોય ને! કવિતા મૂળે તો ભાવવહન કરવાનું ઉપાદાન છે, એમાંથી અર્થ નીપજે તો એ તો કેવળ સંયોગ જ. પુષ્પ વસંતમાં ખીલે એમ ખરી કવિતા બેચેનીમાં જ જન્મે છે..

A spring passing quickly

‘The spring has passed quickly
like a thought
that has flown from the mind’
said the anxious poet

In the beginning, its rhythm pleased him
so he went on line by line
hoping the form would burst forth

He said: ‘A different rhyme
would help me to sing
so my heart would be untroubled and the horizon clear’

The spring has passed us by
It waited for no one
The shepherd’s crook did not wait for us
nor did the basil

He sang, and found no meaning
and was enraptured
by the rhythm of a song that had lost its way

He said: ‘Perhaps meaning is born
by chance
and perhaps my spring is this unease.’

Mahmoud Darwish (Arabic)
(Eng. Trans.: Catherine Cobham)

Comments (9)