આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
મરીઝ

પ્રકરણ 36 – તાઓ-તે-ચિંગ – લાઓ ત્ઝુ અનુ- નગીનદાસ પારેખ

સંકોચવું હોય પહેલાં વિસ્તારવું પડે છે.

નબળું પાડવું હોય તો મજબૂત બનાવવું પડે છે.

પાડવું હોય તો પહેલાં ઊંચે ચડાવવું પડે છે.

લેવું હોય તો પહેલાં આપવું પડે છે.

આનું નામ ‘સૂક્ષ્મ દ્રષ્ટિ ‘ :

મૃદુ કઠોર ઉપર વિજય મેળવે છે અને

દુર્બળ સબળ ઉપર વિજય મેળવે છે.

માછલીને દરિયા બહાર કાઢવી ન જોઈએ . રાજ્યના ઉપયોગી સાધનો લોકોને બતાવવાં ન જોઈએ.

[ Lin Yutang નામના સ્કોલરના મતે અંતિમ વાક્ય આ પ્રકરણનું નથી. તે પ્રકરણ 43 અથવા 78 માં બંધબેસતું છે. વાત સાચી લાગે છે ]

– લાઓ ત્ઝુ અનુ- નગીનદાસ પારેખ

તાઓ-તે-ચિંગ મારી અતિપ્રિય બુક છે. ઈતિહાસમાં કોઈક આટલી નાનકડી પુસ્તિકા આટલી બધી controversy ઊભી કરે તે વાત પોતે જ અજોડ છે. એક વર્ગે એની અત્યંત તીખી આલોચના કરી છે. એક વિદ્વાન સમીક્ષક ઓગણીસમી સદીના માથાના ફરેલા ફિલોસોફર Nietzsche ને ટાંકે છે – ‘ Those who know that they are profound strive for clarity. Those who would like to seem profound strive for obscurity. ‘ સામે પક્ષે ચાહક વર્ગ પણ એટલો જ મોટો છે. એ વાત ખરી કે પુસ્તકમાં મહદઅંશે ગુહ્ય ભાષા જ વપરાઈ છે અને અમુક પ્રકરણ બિલકુલ અસંબદ્ધ લાગે-જરાય ન સમજાય એવા છે, પરંતુ એનું કારણ સમય સાથે પ્રવેશેલી વિકૃતિઓ લાગે છે. એમ તો એક પ્રમાણભૂત અભ્યાસ અનુસાર ભગવદ ગીતા ખરેખર માત્ર 200 જ શ્લોકની છે, બાકીનું બધું repetition જ છે જે કાળક્રમે ઉમેરાતું ગયું.

આ પ્રકરણ 36નું ભાષાંતર છે.

અર્થઘટન સૌ ભાવક પોતપોતાની રીતે કરે તો જ આ પુસ્તકનો મૂળભૂત હેતુ સચવાય તેથી અર્થઘટન કરવાની ધ્રુષ્ટતા હું નહીં કરું.

2 Comments »

  1. Harshad said,

    October 3, 2014 @ 9:22 PM

    Like it.

  2. jAYANT SHAH said,

    December 15, 2015 @ 7:05 AM

    ખૂબ જ સરસ ! બુકનુ નામ આપશો ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment